June 22, 2026
ગુજરાત

PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો

ભુજથી સીધા અમદાવાદ આવી પહોંચેલા PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો, જેમાં તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા.

અમદાવાદમાં ભવ્ય રોડ શો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈના રોડ-શો દરમિયાન લોકો રસ્તાની બંને તરફ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત રહીને PM મોદીને ઉષ્માભેર આવકારી રહ્યા હતા. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ અને તેમના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોના રૂટ પર 19 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યાં અલગ અલગ ધર્મના નાગરિકો દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્વાગતથી સમગ્ર અમદાવાદ જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉષ્માભર્યો આવકાર:
અમદાવાદમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થયા હતા. તેમને આવકારવા માટે સર્કિટ હાઉસ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મેયર સહિતના મહાનુભાવો વડાપ્રધાનના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

આ રોડ શો અંગેની અંકુલ પલો CM ભુપેન્દ્રભાઈ પટેલે તેમના X એકાઉન્ટ પર જારી કરી

https://twitter.com/i/broadcasts/1mrGmPZnplMKy

Related posts

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો