August 9, 2026
અપરાધગુજરાત

હીરાવાડીમાં મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો

હીરાવાડી ખાતે સામન્ય બોલાચાલી ને કારણે યુવક પર થયો હુમલો, મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો, પોલીસ ફરીયાદ હોવા છતાં અસામાજિક તત્વો ફરી રહ્યા છે બિન્દા,

રાહુલ ગુડદેએ આ તમામ ઘટના હકીકત જણાવી કે તારીખ ૦૭/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રિના સાડા દસેક વાગ્યાની આસપાસ ચંદ્રકાંત ઘાંચીની ચાલીમાં રહેતા મારા મિત્ર કાંતિભાઈ પ્રભુભાઈ સરાગરા નાઓની સાથે તેમની ચાલીમાં રહેતા સંજયભાઈ ઈશ્વરભાઈ ર બારી તથા નવઘણભાઈ ઈશ્વરભાઈ રબારી નાઓએ સવારના સમયે બોલચાલી ઝઘડો કરેલ હતો જેથી હું મારા મિત્ર કતિભાઈ ની ખબર અંતર પુછવા તથા સંજયભાઈ અને નવઘણભાઈ ને સમજાવવા માટે  એકલો ગયેલ અને પોણા અગિયારેક વાગ્યાની આસપાસ ચંદ્રકાંત ઘાંચીની ચાલીના નાકે પહોંચેલ જ્યાં સંજયભાઈ ઈશ્વરભાઇ રબારી તથા નવઘણભાઈ ઈશ્વરભાઈ રબારી તથા પ્રિન્સ રણછોડભાઈ રબારી આ ત્રણેય રહે, ચંદ્રકાંત ઘાંચીની ચાલી, પાણીની ટાંકી સામે, અનિલ સ્ટાર્ચ રોડ, અમદાવાદ શહેર નાઓ તેમના હાથમાં લાકડાના દંડા લઈને ઉભેલ હતા જેથી હું તેઓને સમજાવવા ગયેલ કે “તમે અંદરો અંદર શા માટે ઝઘડો ” છો ?

આ વાત સાંભળતાજ  સંજયભાઈ રબારી મને ઉશ્કેરાઈને મનફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને તેઓની હાથમાં રહેલ લાકડાના ડંડા વડે મને ડાબા હાથની કોણીના ભાગે એક ફટકો મારી દીધેલ અને આ નવઘણભાઈ તથા પ્રીન્સ પણ મારી સાથે જપાજપી કરી ગદડાપા ટુનો માર મારવા લાગેલ જેથી હું અત્યંત ગભરાઈ ગયેલ અને ત્યાંથી મારો જીવ બચાવી ભાગવા લાગેલ બાદ મારી ચાલીના ના કે પહોંચીને મેં બૂમાબૂમ કરતા ત્યાંના રહેવાસીઓ ૧૦૮ માં ફોન કરેલ અને મને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

આ અંહી શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરાઈ છે,

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

AMCનાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ – 15 ઑગસ્ટનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સાણંદમાં ઉજવાશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો