શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ શ્યામપ્રસાદ વસાવડા કમ્યુનિટી હોલ, ખોખરા, અમદાવાદ ખાતે રવિવારના રોજ શ્રાવણ મહોત્સવ-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સમાજના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી,
જેમાં ચિત્ર સ્પર્ધા,મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા અને રસોઈ સ્પર્ધા,શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ગડ કિલ્લાઓ આધારિત પ્રશ્નોત્તરી ,પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકો તથા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

