March 23, 2026
અપરાધગુજરાત

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

ગુજરાતના કચ્છ પૂર્વ ગાંધીધામ, આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓનો પર્દાફાશ SOG ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ અંગેની વિગત આપતા SOG ક્રાઈમ બ્રાન્ચના ACP બી. સી. સોલંકીએ જણાવ્યું કે આઠ દિવસ પહેલા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ધરપકડ કરી છે.

કચ્છ ગાંધીધામનો રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી મહેર ઇન હોટલમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની તપાસની કાર્યવાહી માટે આરોપીને કચ્છ પૂર્વ ગાંધીધામ સાયબર ક્રાઇમને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની પૂછપરછ કરતા આરોપીની સાયબર ક્રાઇમની જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે પ્રમાણે આરોપી અગાઉ પોલીસમાં પકડાયેલા તેના ભાઈ નરેશ સંગતાણી તેમજ અન્ય લોકો સાથે મળી જરૂરિયાતમંદ લોકોને બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવવાની લાલચ આપતો હતો. અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાયેલા બેંક એકાઉન્ટની કીટ મેળવી લેતો હતો અને મુંબઈથી મેળવેલા સીમકાર્ડ નંબરો આ બેક્ન એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવતો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બેંકમાં ખાતું ખોલાવનારને ૧૦ ટકા કમિશન આપતો હતો. એટલે કે તેમના ખાતામાં ૧ કરોડનું ટ્રાન્ઝેક્શન કરવાના ૧૦ લાખ એવી રીતે ૧૦ ટકાના કમિશનની લાલચ આપી ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવતો હતો. આરોપી દુબઈમાં જય ક્રિકેટનો મોટો સટ્ટો રમતો હતો. ક્રિકેટના સટ્ટા માટે તે દુબઈના સટોડીયાઓ સાથે પણ સંકળાયેલો હતો. આરોપી દોઢ બે મહિનાથી દુબઇથી અહીં અવરજવર કરતો હતો. તે ત્રણ ચાર વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલો છે. હાલમાં તેનો ભાઈ નરેશ કચ્છ જેલમાં આ ગુના સજા કાપી રહ્યો છે. આરોપી દિલીપ પણ વર્ષ ૨૦૨૪ના એક અન્ય ગુનામાં વોન્ટેડ આરોપી છે. હાલમાં આ મામલે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Related posts

અમદાવાદ: આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો