મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, શ્રી શિવચરણસિંહ ભદૌરિયા અને તેમની સાથે અનેક લોકો જોડાયા હતા,
આ સુંદર કાયકર્મ નું આયોજન માં અભય ચેરીટેબલ ટ્રસ્ટ ના પર્મુખ દિનેશભાઈ ગાંધી ખજાનચી હેમલતાબેન ગાંધી થકી કરવામાં આવ્યું અને આ દરમિયાન દિનેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં, વધુમાં તેમને જણાવ્યું હતું વૃક્ષો આપણા સાચા મિત્રો છે કારણ કે તે સ્વચ્છ હવા અને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ
