અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે સાસુની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, પ્રેમસંબંધને કારણે ચાર મહિના પહેલાં જ લગ્ન કરનાર પતિ અશોક રાજપૂત પત્ની જયબેનને અવારનવાર માર મારતો હતો.
ગતરોજ અશોકે જયબેન અને તેની માતા શોભનાબેન પર પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી અને પોતે ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલી જયબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું,
જ્યારે તેની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.મેઘાણીનગર પોલીસે અશોક રાજપૂત સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
