August 7, 2026
મર્ડર
અપરાધ

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે સાસુની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, પ્રેમસંબંધને કારણે ચાર મહિના પહેલાં જ લગ્ન કરનાર પતિ અશોક રાજપૂત પત્ની જયબેનને અવારનવાર માર મારતો હતો.

ગતરોજ અશોકે જયબેન અને તેની માતા શોભનાબેન પર પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી અને પોતે ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલી જયબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું,

જ્યારે તેની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.મેઘાણીનગર પોલીસે અશોક રાજપૂત સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

વી.એચ.પ પ્રાંતના સંગઠન પ્રધાન શ્રી ખગેન્દ્ર ભાર્ગવની કાર પર ફાયરિંગ

Ahmedabad Samay

રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો

Ahmedabad Samay

રાજકોટમાં જુગારની રમઝટ જામી: પોલીસે ૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ૧૪ની ધરપકડ કરી

Ahmedabad Samay

બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં વિધર્મીએ કરી તોડફોડ, સ્થાનિકોમાં ભારે રોષ

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો