February 5, 2026
ગુજરાતઅપરાધ

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ મુકાયેલા ૩૪ કેસો પૈકી ૬ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય કરાયો રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૪ કેસો પૈકી રાજકોટ શહેરના ૦૬ અને ગ્રામ્ય વિસ્તારના ૦૦ એમ કુલ ૦૬ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ કેસો પૈકી ૧૯ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા ૯ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર, ડી.સી.પી. સજ્જન સિંહ પરમાર, એસ. પી. જયપાલસિંહ રાઠૌર, પ્રાંત અધિકારીઓ સર્વે સંદિપ વર્મા, સૂરજ સુથાર, કે. જી.ચૌધરી, વિવેક ટાંક, જે.એન. લિખિયા, રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મુંબઈ શહેરમાં ૪૦૦ કિલો વિસ્‍ફોટકોનો ઉપયોગ કરીને અનેક વિસ્‍ફોટોની ધમકી આપવામાં આવી

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

દેવાયત ખવડ સહિત ૩ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બે પ્રેમીઓ એ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો