May 10, 2026
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે સમરસ કન્યા છાત્રાલયમાં ૩૫૦થી વધુ કન્યાઓનો છાત્રાલય પ્રવેશોત્સવ ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના મહિલા
અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ૩૫૦થી વધુ કન્યાઓનો કંકુ અને ચોખાથી વધાવીને છાત્રાલય પ્રવેશ કરાવ્યો હતો.

સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણના મંત્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમરસ છાત્રાલય એ મારા પરિવાર જેવું છે. હું આજે પ્રવેશ મેળવેલ તમામ દીકરીઓને આવકારું છું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અદભુત છાત્રાલયના નિર્માણનો વિચાર મૂક્યો હતો, અને તેમના જ સાર્થક પ્રયત્નોથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

છાત્રાલયના નિર્માણનો મૂળ ઉદ્દેશ તમામ વર્ગના વિદ્યાર્થીઓને એક જ રસમાં પરોવી એકસાથે રહેવા અને જીવવાની ભાવના કેળવવાનો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમરસ છાત્રાલયમાં કોઈપણ દીકરીને શિક્ષણ મેળવવા માટે પહેલા જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તે હવે નહીં કરવો પડે. પહેલા દીકરીઓના માતા-પિતા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દીકરીઓને ઘરથી દૂર અન્ય શહેરમાં મોકલતા વિચાર કરતા હતા, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયત્નોથી સમરસ જેવા છાત્રાલય સ્થાપિત થયાં છે. જેમાં છેવાડાના ગામડાઓમાંથી દીકરીઓ અહીં રહીને શિક્ષણ મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વધુ ૪૦ જેટલા સમરસ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. અંતે શુભેચ્છા પાઠવતા તેઓએ જણાવ્યું હતું કે, આપ સૌ આ છાત્રાલયમાં રહી એક લક્ષ્ય સાથે આગળ વધશો, અને ખૂબ મહેનત કરી આપનું અને આપના માતા-પિતાનું નામ રોશન કરશો, એવી આશા છે. કાર્યક્રમના અંતે મંત્રી ભાનુબહેન બાબરીયાએ પ્રવેશ મેળવેલ તમામ કન્યા છાત્રાઓ સાથે ગરબા કર્યા હતા, સાથે જ તમામ છાત્રાઓ સાથે ભોજન પણ લીધું હતું.

Related posts

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી

Ahmedabad Samay

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

Ahmedabad Samay

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોને કારણે પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને મત આપ્યો

Ahmedabad Samay

અમદાવાદ – ગાંધીનગર પોઇન્ટ બસ સેવા શરૂ

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો