March 23, 2026
અપરાધ

નવસારી: ચીખલીમાં RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપી હાલ પણ ફરાર!

નવસારીના ચીખલીમાં થોડા દિવસ પહેલા RTI એક્ટિવિસ્ટની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, પોલીસે RTI એક્ટિવિસ્ટની હત્યાના કેસમાં ચીખલીના જ ત્રણ આરોપી શખ્સની પાલનપુર અને કલોલથી ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર હોવાથી તેને પકડવા માટે શોધખોળ આદરી છે.

નવસારીના ચીખલીમાં મૂળ થાલા ગામના RTI એક્ટિવિસ્ટ વિનય પટેલ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમનું બાઇક આંતરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં માથા અને શરીરના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘાથી વિનય પલેટનું મોત નીપજ્યું હતું. જ્યારે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. વિનય પટેલના પરિજનોએ આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મામલાની ગંભીરતાને સમજી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.

પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી 

હુમલાખોરોને પકડવા માટે પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી. પોલીસે હવે ત્રણ આરોપીઓની પાલનપુર અને કલોલમાંથી ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીઓ ચીખલીના જ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તેમના નામ વશિષ્ટ પટેલ,  જીગ્નેશ પરમાર અને રાહુલ રબારી હોવાનું જણાયું હતું. તેમની સાથે અન્ય એક આરોપી પણ હતો જે હાલ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા છે.

Related posts

સરદારનગરમાં રાજુ ગેંડી બાદ તેના પુત્ર વિકી ગેંડીનો ત્રાસ,ગત રાત્રે વેપારીને જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

પહેલગામના ભયાનક હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટા અને સ્કેચ જાહેર કર્યા

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો