May 7, 2026
નિકોલ પોલીસ સ્ટેશન
અપરાધ

નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે

નિકોલમાં દોઢ મહિના પહેલા એક વેપારીની કાર રોકી તેમને ધમકી આપી પોલીસ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો. દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી પાસેથી ઓનલાઈન અને રોકડ ગણીને 5.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ત્રણ ટી.આર.બી અને એક હેડ કોન્સ્ટેબલ સંકળાયેલા હતા. પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની ધરપકડ છે. આ કેસમાં ટી.આર.બી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને અજય પટણી ફરાર છે. .

ટ્રાફિક વિભાગમાં ફરજ દરમિયાન પણ તેમની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે અને PI રબારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો,

Related posts

તથ્ય પટેલ સામે આજે ફાઈલ થશે ચાર્જસીટ, 5000 પાનાની ચાર્જસીટ હશે, અન્ય એક કલમ પણ ઉમેરાશે

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

નવસારી: વિજલપોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો, દારૂનું વેચાણ કરતા 2 ઝડપાયા, મહિલા આરોપી વોન્ટેડ જાહેર

Ahmedabad Samay

નવસારી: 12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનારા વિધર્મી યુવકને આજીવન કેદની સજા

Ahmedabad Samay

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

Ahmedabad Samay

અમદાવાદ: ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકોએ બે ભાઈ પર જીવલેણ હુમલો કર્યો! 21 લાખની લેતીદેતીનો મામલો

admin

એક ટિપ્પણી મૂકો