અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે
નિકોલમાં દોઢ મહિના પહેલા એક વેપારીની કાર રોકી તેમને ધમકી આપી પોલીસ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો. દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી પાસેથી ઓનલાઈન અને રોકડ ગણીને 5.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ત્રણ ટી.આર.બી અને એક હેડ કોન્સ્ટેબલ સંકળાયેલા હતા. પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની ધરપકડ છે. આ કેસમાં ટી.આર.બી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને અજય પટણી ફરાર છે. .
ટ્રાફિક વિભાગમાં ફરજ દરમિયાન પણ તેમની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે અને PI રબારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો,
