ફિલ્મ ધુરંધર પાર્ટ ૨ને રણવીર સિહ ના આગામી પાત્રને લઈને દર્શકોની અપેક્ષાઓ અચાનક ખૂબ વધી ગઈ છે.ધુરંધર માં રણવીર સાથે સ્ક્રીન શેર કરનાર આર. માધવને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સિક્વલ વિશે વાત કરતા ઈશારાઓમાં કહ્યું કે દર્શકોએ રણવીર સિહની જે એક્ટિંગ જોઈ છે, તે તો માત્ર એક ઝલક જ હતી.
વાર્તા વિશે મૌન જાળવી રાખતા માધવને સ્પષ્ટ કર્યું કે આ સફર હજી સમાપ્ત નથી થઈ અને અહીંથી આગળ કથાનો સ્કેલ, ઇન્ટેન્સિટી અને પર્ફોર્મન્સ ગ્રાફ માત્ર ઉપર જ જવાનો છે. ચાહકો આગળ શું અપેક્ષા રાખી શકે છે, તેના પર સંકેત આપતા તેમણે કહ્યું, દેખીતી રીતે, હું આ વિશે કંઈ કહી શકું નહીં, પરંતુ બસ એટલું કહીશ કે પહેલો ભાગ તો ટ્રેલર હતો, રણવીરને તો હજી જોવાના બાકી છે. આ નિવેદન ભલે નાનું હોય, પરંતુ તેની અસર ઘણી મોટી છે અને તેણે દર્શકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં પણ ઉત્સાહનું મોજું ફેલાવી દીધું છે.
ધુરંધર માં રણવીર સિંહના અભિનયને દર્શકો, વિવેચકો અને સહ-કલાકારો તરફથી જબરદસ્ત પ્રશંસા મળી છે, અને ઘણા લોકોએ તેમને આ પેઢીના સૌથી શ્રેષ્ઠ અભિનેતા સુધી કહી દીધા છે. ઇમોશન્સને સંતુલિત રીતે રજૂ કરવાથી લઈને જબરદસ્ત ઇન્ટેન્સિટી સુધી, તેમના પર્ફોર્મન્સે દર્શકોને ઊંડાણપૂર્વક સ્પર્શ કર્યો છે અને ફિલ્મને જબરદસ્ત બોક્સ ઓફિસ સફળતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આર. માધવન દ્વારા કહેવામાં આવેલી વાતો એ તરફ ઈશારો કરે છે કે ધુરંધર માત્ર એક પાયો હતો, જે સિક્વલમાં આવનારી ઘણી વધુ શક્તિશાળી વાર્તા માટેનું મંચ તૈયાર કરી રહ્યું છે. તેમનો આ સંકેત સૂચવે છે કે ‘ધુરંધર ૨’ માં રણવીરનું પાત્ર વધુ ગહન, ડાર્ક અને વધુ ખતરનાક વિસ્તારમાં જશે, જ્યાં વાર્તાનો દાવ પણ વધશે અને પર્ફોર્મન્સના માપદંડો પણ.
જેમ જેમ ઉત્સુકતા વધતી જાય છે, તેમ તેમ માધવનની આ ટિપ્પણીએ ધુરંધર ૨ ને આગામી સૌથી વધુ રાહ જોવાતા પ્રોજેક્ટ્સમાં સ્થાન અપાવ્યું છે, ખાસ કરીને રણવીર સિહના તે પાત્ર માટે જેને સૌથી વધુ પ્રેમ મળ્યો છે. જો પહેલો ભાગ ખરેખર માત્ર એક ટ્રેલર હતો, જેમ કે માધવને કહ્યું, તો હવે આપણે બધા રણવીર સિહને તેમની સંપૂર્ણ શક્તિ માં જોવા માટે તૈયાર છીએ, એક એવા પર્ફોર્મન્સ માટે, જે ફરી એકવાર અભિનયના સ્કેલ, ઇન્ટેન્સિટી અને મુખ્ય અભિનેતા સ્ક્રીન પર શું કરી શકે છે, તેની વ્યાખ્યા બદલી શકે છે
