April 12, 2026
ટ્રેન
ગુજરાત

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

ટ્રેન મુસાફરો માટે મોટા સમાચાર. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો હવે તમારે વધુ ખર્ચ કરવો પડશે. રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી છે. મંત્રાલયના જણાવ્‍યા અનુસાર નવા ભાડા આજથી અમલમાં આવશે. ભાડામાં વધારો અગાઉ ૨૧ ડિસેમ્‍બરે જાહેર કરવામાં આવ્‍યો હતો

પહેલા જનીલો ભાડામાં વધારો કેમ થયો ?

નવી દિલ્‍હી તા.૨૬: રેલ્‍વે અધિકારીઓ કહે છે કે છેલ્‍લા દાયકામાં રેલ્‍વે નેટવર્ક અને કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. આને ધ્‍યાનમાં રાખીને, ભાડામાં સામાન્‍ય વધારો કરવામાં આવ્‍યો છે. રેલ્‍વે કામગીરીની માંગમાં વધારો થયો છે, અને સલામતીના પગલાંને મજબૂત બનાવવા માટે સ્‍ટાફિગમાં વધારો કરવામાં આવ્‍યો છે, જેના કારણે ખર્ચમાં વધારો થયો છે..

ટ્રેનના ભાડામાં કેટલો વધારો થયો : સિસ્‍ટમ હેઠળ, જનરલ ક્‍લાસમાં ૨૧૫ કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, ૨૧૬ કિલોમીટરથી વધુની મુસાફરી માટે ભાડામાં વધારો થશે. જનરલ ક્‍લાસમાં પ્રતિ કિલોમીટર ૧ પૈસા અને મેલ/એક્‍સપ્રેસ ટ્રેનોના નોન-એસી અને તમામ એસી ક્‍લાસમાં પ્રતિ કિલોમીટર ૨ પૈસા ભાડામાં વધારો કરવામાં આવ્‍યો છે.

ગુરુવારે, મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને ૨૧૫ કિલોમીટરથી વધુની મુસાફરી માટે સામાન્‍ય વર્ગની ટિકિટના ભાવમાં પ્રતિ કિલોમીટર એક પૈસા અને બધી ટ્રેનોના નોન-એસી વર્ગો અને એર-કન્‍ડિશન્‍ડ (એસી) વર્ગો માટે પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે.

૨૧ ડિસેમ્‍બરના રોજ, મંત્રાલયે જાહેરાત કરી હતી કે આજથી મુસાફરોના ભાડામાં વધારો કરવામાં આવશે. વર્ષમાં આ બીજી વખત છે જ્‍યારે મંત્રાલયે પેસેન્‍જર ટ્રેન ભાડામાં સુધારો કર્યો છે. અગાઉનો ભાડા વધારો જુલાઈમાં કરવામાં આવ્‍યો હતો.

તેના નિર્ણયને યોગ્‍ય ઠેરવતા, મંત્રાલયે કહ્યું કે ભાડાને સસ્‍તું બનાવવાનો ઉદ્દેશ્‍ય મુસાફરો માટે ટિકિટ ટકાઉપણું અને કાર્યકારી સ્‍થિરતા વચ્‍ચે સંતુલન જાળવવાનો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે સુધારેલા ભાડા માળખા હેઠળ, ઉપનગરીય સેવાઓ અને સીઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

આમાં ઉપનગરીય અને બિન-ઉપનગરીય રૂટ બંનેનો સમાવેશ થાય છે. સામાન્‍ય નોન-એસી (નોન-સબર્બન) સેવાઓ માટે, સેકન્‍ડ ક્‍લાસ જનરલ, સ્‍લીપર ક્‍લાસ જનરલ અને ફર્સ્‍ટ ક્‍લાસ જનરલ માટે ભાડાને ક્રમિક રીતે તર્કસંગત બનાવવામાં આવ્‍યા છે.

દરેક ક્‍લાસ માટે ભાડામાં કેટલાનો વધારો કરવામાં આવ્‍યો છે?

મંત્રાલયે જણાવ્‍યું હતું કે ૨૧૫ કિલોમીટર સુધીની મુસાફરી માટે સેકન્‍ડ ક્‍લાસ જનરલ ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી, જે ટૂંકા અંતર અને દૈનિક મુસાફરોને અસર કરશે નહીં.

૨૧૬ કિલોમીટરથી ૭૫૦ કિલોમીટર વચ્‍ચેના અંતર માટે ભાડામાં રૂા. ૫નો વધારો થશે.

૭૫૧ કિલોમીટરથી ૧૨૫૦ કિલોમીટર વચ્‍ચેના અંતર માટે ભાડામાં રૂા.૧૦નો વધારો થશે.

૧૨૫૧ કિલોમીટરથી ૧૭૫૦ કિલોમીટર વચ્‍ચેના અંતર માટે ભાડામાં રૂા.૧૫નો વધારો થશે.

૧૭૫૧ કિલોમીટરથી ૨૨૫૦ કિલોમીટર વચ્‍ચેના અંતર માટે ભાડામાં રૂા.૨૦નો વધારો થશે.

આ જ વર્ગવાર ભાડામાં વધારો રાજધાની, શતાબ્‍દી, દુરંતો, વંદે ભારત, તેજસ, હમસફર, અમૃત ભારત, ગરીબ રથ, જન શતાબ્‍દી, અંત્‍યોદય, ગતિમાન, યુવા એક્‍સપ્રેસ, નમો ભારત રેપિડ રેલ સહિત અન્‍ય વિશેષ ટ્રેનોમાં લાગુ થશે. રિઝર્વેશન ફી, સુપરફાસ્‍ટ ચાર્જ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. GST પણ લાગુ રહેશે.

Related posts

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો