
કોરોનાની બીજી લહેર એટલી હદે વધી છે કે અન્ય રાજ્યોમાં તો લોકડાઉન લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ હાલ એવી પરિસ્થિતિ છે કે લોકોને અન્ય છે લે અન્ય રાજ્યોના જેમ ગુજરાતમાં પણ ગમે ત્યારે લોકડાઉન લાગી જશે તો શું થશે.
પહેલા લોકડાઉન લાગ્યું હતું ત્યારે તો ઘણા લોકો અનેક સ્થળે ફસાઈ ગયા હતા. તેવું ફરી થી ન થાય તેમાટે લોકો પોતાના ગામે, ઘરે પરત ફરી રહ્યા છે. ખાસ કરીને પરપ્રાંતિઓમાં.લોકડાઉન ની પરિસ્થિતિ નો ભય જોવા મળી રહ્યો છે મજૂર વર્ગ બેરોજગાર થઇ ગયા છે માટે પોતામાં ઘરે પરત ફરી રહ્યા છે.
તેમની આ મજબૂરીનો ફાયદો ઉપાડી રહ્યા છે જે ટીકીટનો ભાવ ૭૦૦ થી ૮૦૦રૂ. ચાલતો હતો તેનો ભાવ ૪૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે. આટલી મોટી કિંમતમાં ભાડું વસૂલી જાણે તેમની માનવતા મરી જોય તેવું લાગી રહ્યું લાગી રહ્યું છે, જાડી ચામડીના આ એજન્ટો મજૂર વર્ગની આ મજબૂરીનો ફાયદો તો ઉપાડી રહ્યા છે પરંતુ તેમના પાસેથી પૈસા વસૂલીને તે સુવિધા પણ નથી આપી રહ્યા ,
સ્લીપર માં એક વ્યક્તિને બદલે ચાર ચાર વ્યક્તિઓને બેસાડવામાં આવે છે અને બેેસાડી ખચો ખચ ભરીને કોરોનાની ગાઈડલાઈનનો ઉલ્લંઘન પણ કરી રહ્યા છે લોકોની જીંદગી સાથે પણ રમત રમી રહ્યા છે.
તંત્ર એ ટ્રાવેલ્સ ઉપર પણ ધ્યાન દોરવાની જરૂર છે ટ્રાવેલ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા કાળાબજારી પર ધ્યાન રાખવાની જરૂર છે
