March 17, 2026
Other

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

અમદાવાદ શહેરના ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે..ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થતા આસપાસના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે.

વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે અને દિવસ રાત બ્રિજના કાટમાળમાંથી ધૂળ ઉડે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની આડાશ કરી નથી. બ્રિજના કાટમાળથી ઉડતી ધૂળ સુધી લોકો સુધી પહોંચે છે. વેપારીઓની માગણી છે કે ઝડપથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે.

Related posts

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

Ahmedabad Samay

રામનવમી ની યાત્રા પર થયેલા પથ્‍થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે:હર્ષ સંધવી

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો