ગુજરાત માટે આજનો દિવસ મહત્વનો બની રહેશે. કારણ કે, લગ્ન નોંધણીના નવા નિયમો અંગે ગાંધીનગરથી આજે મોટી જાહેરાત થવાની છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી આજે અગત્યની જાહેરાત. જાહેર અગત્યની બાબત પર નિયમ ૪૪ હેઠળ નાયબ મુખ્યમંત્રી ગૃહમાં જાહેરાત કરશે. જેમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારો જાહેર કરાશે. તેમજ લગ્ન નોંધણીમા માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બની શકે છે.
લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને આજે મહત્વની જાહેરાત થઈ શકે છે. વિધાનસભામાં આજે લગ્ના નિયમોમાં ફેરફારો અંગે ઐતિહાસિક નિર્ણય લેવાઈ શકે છે. લગ્ન નોંધણીના નવા નિયમો આજે જાહેર થશે. જેમાં ભાગેડુ લગ્ન નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્વની બનાવાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી પાટીદાર સમાજ દ્વારા આ અંગેની માંગણી કરવામાં આવી રહી હતી.
ભાગેડુ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને પાટીદાર આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો છે. માતા-પિતાને એક મહિનાની મુદત અને જરૂરી કાયદામાં સુધારો સહિતના મુદ્દા ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી માત્ર પાટીદાર નહીં, પરંતું દરેક સમાજને ફાયદો થશે
