૨૮ ફેબ્રુઆરીથી મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે શનિવારે સવારે ઇરાની લશ્કરી અને સરકારી લક્ષ્યો પર હવાઈ હુમલા શરૂ કર્યા. ઈરાન અને તેના પ્રોક્સીઓ આ પ્રદેશના ઘણા દેશો પર હુમલાઓ સાથે બદલો લઈ રહ્યા છે.ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના હુમલાઓ વધુ ઘાતક બની રહ્યા છે. યુદ્ધને ૧૦૦ કલાક વીતી ગયા છે, મિસાઈલો અને ડ્રોન દ્વારા હુમલા ચાલુ છે. અમેરિકાએ કહ્યું કે ઈરાન સામેના તેના લશ્કરી અભિયાને ૨,૦૦૦ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે અને તેહરાનની મિસાઈલ અને નૌકાદળ ક્ષમતાઓને ગંભીર રીતે નબળી પાડી છે. ટ્રમ્પે ઓપરેશન એપિક ફયુરી શરૂ કરવાના ટ્રમ્પના નિર્ણયનો બચાવ કર્યો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયાના અંતમાં શરૂ કરાયેલ આ ઓપરેશનનો હેતુ ઈરાનના મિસાઈલ ખતરાને દૂર કરવાનો, તેની નૌકાદળ ક્ષમતાઓનો નાશ કરવાનો અને તેને પરમાણુ શષો પ્રાપ્ત કરવાથી રોકવાનો હતો.
ઈરાન દ્વારા હુમલાઓના નવા દોર વચ્ચે, રાજધાની તેહરાનમાં શક્તિશાળી વિસ્ફોટો સંભળાયા. ઈરાની મીડિયા અહેવાલો સૂચવે છે કે ઈરાને તેની સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી દીધી છે. છેલ્લા એક કલાકમાં તેહરાનમાં અનેક વિસ્ફોટ થયાના અહેવાલ છે. પヘમિ ઈરાનના કુર્દીસ્તાન પ્રાંતના શહેર સનંદજમાં પણ વિસ્ફોટો થયાના અહેવાલ છે.
પ્રેસ ટીવી અને IRGC-સંલગ્ન તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ફોર્સે અમેરિકા અને ઈઝરાયલ સામે હુમલાઓનો ૧૯મો તબક્કો શરૂ કર્યો છે. તસ્નીમે IRGCને ટાંકીને જણાવ્યું હતું કે નવા હુમલામાં ઇઝરાયલી અને યુએસ બેઝ બંનેને નિશાન બનાવતા મિસાઇલો અને ડ્રોનનો સમાવેશ થાય છે. IRGCએ તેના ઓપરેશનને ટ્રુ પ્રોમિસ ૪ નામ આપ્યું.
CNN એ ઓપરેશનથી પરિચિત બેસ્ત્રેતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કતરે યુએસ સૈનિકોને રહેઠાણ ધરાવતા સૌથી મોટા લશ્કરી બેઝ પર હુમલો કરવાથી માત્ર બે મિનિટ દૂર ઈરાની બોમ્બરોને ઠાર માર્યા હતા.
અહેવાલ મુજબ, બોમ્બરોને સીધા જ જોવામાં આવ્યા હતા અને ફોટોગ્રાફ કરવામાં આવ્યા હતા, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેઓ બોમ્બ અને માર્ગદર્શિત દારૂગોળા લઈ રહ્યા હતા. કતારએ રેડિયો ચેતવણી જારી કરી હતી પરંતુ ઈરાની જેટ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો, જેમણે રડાર શોધ ટાળવા માટે ૮૦ ફૂટની ઊંચાઈએ ઉડાન ભરવી પડી હતી.
સીએનએનના અહેવાલ મુજબ, કતારે તેના યુદ્ધ વિમાનો અને કતારી એફ-૧૫ ફાઇટર જેટને ઈરાની જેટ સાથે હવાઈ યુદ્ધૅ માં રોક્યા હતા, ત્યારબાદ તેમને ગોળી મારી દેવામાં આવી હતી.
અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન, શ્રીલંકાના દરિયાકાંઠે હિદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીનએ ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ આઈરિસ દેના ને ટોર્પિડોથી ડુબાડી દીધું હતું. ૮૭ ખલાસીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાની યુદ્ધ જહાજ ભારતમાં મિલાન ૨૦૨૬ નૌકાદળ કવાયતમાં ભાગ લીધા પછી ઘરે પરત ફરી રહ્યું હતું. અમેરિકાએ આ હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. જહાજના બે ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ ૧૪૮ અન્ય ખલાસીઓ હજુ પણ ગુમ છે, જેમના બચવાની આશા ઓછી છે.
ઇઝરાયલી સૈન્ય પણ લેબનોન અને હિઝબુલ્લાહ પર સતત હુમલો કરી રહ્યું છે. અલ જઝીરાના પત્રકારોના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહના ગઢ ગણાતા બેરૂતના દક્ષિણ વિસ્તારોમાં ત્રણ મોટા વિસ્ફોટ થયા છે. ઇઝરાયલી દળોએ ઉત્તરી લેબનોન શહેર ત્રિપોલીમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર પણ હુમલો કર્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે ઇઝરાયલે લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિરને નિશાન બનાવ્યું હોય. અહેવાલો અનુસાર, આ પહેલા પણ આવા જ નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં જાનહાનિની સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. જો કે, પ્રદેશમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. જ્યારે તણાવ વધ્યો છે, ત્યારે કુવૈત અને બહેરીનને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઈરાને અગાઉ કુવૈતમાં કેમ્પ આરિફજાન અને અલી અલ-સાલેમ એર બેઝ જેવા યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા છે.
૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા પછી શરૂ થયેલ મધ્ય પૂર્વમાં કટોકટી ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઈરાન યુદ્ધે ઘણા ખાડી દેશોને અસર કરી છે કારણ કે તેહરાન અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. એક અમેરિકન સબમરીન હિદ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો કરીને ડૂબાડી દે છે, જેમાં ૮૭ મૃતદેહો મળી આવ્યા છે.
શનિવારે શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓ પછી ઈરાનમાં મૃત્યુઆંક ૧,૦૪૫ પર પહોંચી ગયો છે. લેબનોનમાં ૬૦ થી વધુ લોકો અને ઈઝરાયલમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા છે. આ સંઘર્ષમાં છ અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે.
દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની દફનવિધિ મુલતવી રાખવામાં આવી છે. આ સંઘર્ષ હવે નેતૃત્વ, મિસાઈલ ઠેકાણાઓ અને પરમાણુ કાર્યક્રમોને લક્ષ્ય બનાવતા અનિヘતિ સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે.
મધ્ય પૂર્વના મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં, આ યુદ્ધમાં ઈરાનમાં ૧,૦૪૫, લેબનોનમાં ૫૦, ઈઝરાયલમાં ૧૧, જોર્ડનમાં ૫, કુવૈતમાં ૪, યુએઈમાં ૩ અને બહેરીન અને ઓમાનમાં એક-એક સૈનિકો માર્યા ગયા છે. કુવૈતમાં યુએસ દૂતાવાસ પર ઈરાની હુમલામાં કુલ ૬ સૈનિકો માર્યા ગયા હતા.
ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના આંતરિક સુરક્ષા કમાન્ડ અને બાસીજ ફોર્સની ઇમારતોને નિશાન બનાવી છે. આ હુમલાઓ સાથે ઈઝરાયલનો ઉદ્દેશ્ય ઈરાનની સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવાનો છે.
તેહરાનમાં સરકારી ટેલિવિઝન પર હુમલામાં નાશ પામેલા ઈમારતોના ખંડેર દેખાડવામાં આવ્યા હતા. કોમ શહેરમાં એક ઈમારત, જ્યાં આગામી સુપ્રીમ લીડરની પસંદગી કરવા માટે મૌલવીઓની પેનલ હતી, તેને પણ નિશાન બનાવવામાં આવી હતી.
આ હુમલાઓએ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ડ્રોન બેઝને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે.
યુદ્ધની અસર હવે ઈરાનની સરહદોની બહાર અને સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગઈ છે. ઈરાને બહેરીન, કુવૈત અને ઈઝરાયલ પર મિસાઈલ છોડીને બદલો લીધો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં એક માલવાહક જહાજ મિસાઇલથી અથડાયા બાદ આગ લાગી ગઈ. યુદ્ધને કારણે આ વ્યૂહાત્મક માર્ગ પરથી ઓઇલ ટેન્કરોની અવરજવર ૯૦ ટકા ઘટી ગઈ છે. આના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જો હુમલાઓ બંધ નહીં થાય તો આ પ્રદેશના સમગ્ર લશ્કરી અને આર્થિક માળખાને નષ્ટ કરી દેશે.
યુએસ સંરક્ષણ સચિવે જણાવ્યું છે કે આ કાર્યવાહી માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી. તેમણે સંકેત આપ્યો છે કે તે ત્રણ, છ કે આઠ અઠવાડિયા સુધી ચાલી શકે છે.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ખુલાસો કર્યો હતો કે જૂન ૨૦૨૬ માં મૂળ રીતે નિર્ધારિત હુમલો ફેબ્રુઆરીમાં શરૂ કરવો પડ્યો હતો, ખાસ સંજોગોને કારણે.
મધ્ય પૂર્વમાં લાખો મુસાફરો ફસાયેલા છે, અને આંતરરાષ્ટ્રીય શિપિગ તૂટી ગયું છે.
તેલના ભાવમાં વધારો વૈશ્વિક અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે તેવી આશંકા વચ્ચે વિશ્વભરના શેરબજારો ડૂબી રહ્યા છે.
ઈરાને ચેતવણી આપી છે કે જો શાસન પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવશે, તો તે ઇઝરાયલના ડિમોના પરમાણુ સ્થળ પર હુમલો કરશે. ઈરાનની અર્ધ-સત્તાવાર ત્લ્ફખ્ સમાચાર એજન્સીએ ઈરાની લશ્કરી અધિકારીને ટાંકીને આ વાત કહી છે. ઈરાની લશ્કરી અધિકારીની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વારંવાર શાસન પરિવર્તન સામે ચેતવણી આપી ચૂક્યા છે.
જોકે કેટલાક અધિકારીઓ કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક યુદ્ધમાંથી ખસી શકે છે, શરતો પૂરી થવાનો હવાલો આપીને, જેરુસલેમ પોસ્ટે વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે ટ્રમ્પ ઈરાનમાં વાસ્તવિક શાસન પરિવર્તન શક્ય ન બને ત્યાં સુધી યુદ્ધમાં રહેશે.
એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ જેરુસલેમ પોસ્ટને જણાવ્યું હતું કે ટ્રમ્પ આ પગલાને સંપૂર્ણ તાકાતથી આગળ વધારવાનો ઇરાદો ધરાવે છે. તેમણે પહેલાથી જ લક્ષ્ય ઓળખી કાઢ્યું છે. તેઓ સરકાર બદલવા માંગે છે અને ધીમું કરવાનો કોઈ ઇરાદો નથી.
યુએસ અને ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું છે કે ઈરાની સરકાર હાલમાં વર્તમાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે, જેનું કારણ ફક્ત વરિષ્ઠ સરકારી અને લશ્કરી નેતાઓ દ્વારા થયેલા નુકસાનને કારણે જ નહીં, ખાસ કરીને ઓપરેશનના પ્રારંભિક તબક્કામાં, પરંતુ મધ્યમ-સ્તરના કમાન્ડરો, ક્ષેત્ર એકમો અને કમાન્ડ સેન્ટરો પરના હુમલાઓ પણ છે.
ડિમોના ન્યુક્લિયર સાઇટને સત્તાવાર રીતે શિમોન પેરેસ નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. તે ઇઝરાયલના નેગેવ રણમાં સ્થિત એક અત્યંત ગુપ્ત પરમાણુ સુવિધા છે. બાંધકામ ૧૯૫૦ ના દાયકામાં શરૂ થયું હતું. ઇઝરાયલે ગુપ્ત ફ્રેન્ચ ટેકનોલોજીની મદદથી તેનું નિર્માણ કર્યું હતું.
શરૂઆતમાં, તેની ઓળખ છુપાવવા માટે, આ સ્થળને વિશ્વને કહેવામાં આવ્યું હતું કે તે એક કાપડ ફેક્ટરી છે. ઇઝરાયલ તેને સત્તાવાર રીતે એક સંશોધન કેન્દ્ર તરીકે વર્ણવે છે જે વિજ્ઞાન, આરોગ્ય અને કૃષિમાં પરમાણુ ઊર્જાના ઉપયોગ પર કામ કરે છે.
ડિમોના ન્યુક્લિયર સાઇટ પર સુરક્ષા અત્યંત કડક છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ગુપ્તચર એજન્સીઓ માને છે કે તે ઇઝરાયલના પરમાણુ શષો કાર્યક્રમનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે પરમાણુ બોમ્બ બનાવવા માટે વપરાતું પ્લુટોનિયમ અહીં ઉત્પન્ન થાય છે.
તાજેતરના સેટેલાઇટ છબીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળ પર નવું બાંધકામ ચાલી રહ્યું છે. આ વિસ્તાર વિશ્વના સૌથી સુરક્ષિત વિસ્તારોમાંનો એક છે. સુરક્ષા એટલી કડક છે કે વિમાનોને પણ તેના ઉપર ઉડવાની મનાઈ છે.
