August 21, 2026
Other

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર (IW) પર એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ગાંધીનગર ખાતે (હિ.સ.) રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ઈન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ  ઇન્ફોર્મેશન વોરફેર (IW) પર એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય વર્તમાન સુરક્ષા વાતાવરણમાં IW ના મૂળભૂત વિભાવનાઓ, સિદ્ધાંતો, વિકાસ અને વ્યૂહાત્મક મહત્વ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે.

ઉદ્ઘાટન સત્રને ભારતમાં આ વિષયના પ્રણેતાઓમાંના એક, બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત), PVSM, UYSM, AVSM, SM, VSM  દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું.

લેફ્ટનન્ટ જનરલ હસનૈને માહિતી યુદ્ધને સતત ચાલતા જ્ઞાનાત્મક રણમેદાન તરીકે વર્ણવ્યું હતું જેમાં પરંપરાગત લશ્કરી સંપત્તિઓ કરતાં માન્યતાઓ અને કથાનકો (નેરેટિવ્સ)નો પ્રભાવ વધુ શક્તિશાળી બન્યો છે. તેમણે સોશિયલ મીડિયાને એક ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે વિસ્તૃત રીતે સમજાવ્યું જેણે માહિતીના પ્રવાહને એકમાર્ગીયમાંથી બહુ-દિશાસૂચક મોડેલમાં રૂપાંતરિત કર્યો છે, અને અસરકારક માહિતી કામગીરી માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે વ્યૂહાત્મક સંચારના “10 Cs” – સંદર્ભ (Context), સ્પષ્ટતા (Clarity), ગ્રાહક/શ્રોતા (Customer), વિશ્વસનીયતા (Credibility), सुसंगतता (Consistency), संऽनन (Coordination), કાલક્રમ (Chronology), પરિવર્તન સજ્જતા (Change readiness), જોડાણો (Connections), અને વળતો જવાબ અને છુપાવા (Counter & Conceal) નો પુનરોચ્ચાર કર્યો હતો. ઈરાન, આરબ સ્પ્રિંગ અને જમ્મુ અને કાશ્મીર સહિતના કેસ સ્ટડીઝનો સંદર્ભ આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગોળીઓ વ્યક્તિઓને અસર કરે છે, જ્યારે નેરેટિવ્સ (કથાનકો) હજારો લોકોને પ્રભાવિત કરી શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આધુનિક સંઘર્ષોમાં માહિતી યુદ્ધ વિશે પણ વાત કરી હતી – માહિતી અને પ્રભાવ કામગીરી એ હાઇબ્રિડ અને ગ્રે ઝોન વોરફેર સહિતના તમામ પ્રકારના સંઘર્ષોમાં અવિભાજ્ય અંગ છે. યુદ્ધક્ષેત્ર ભૌતિક ક્ષેત્રથી આગળ વધીને જ્ઞાનાત્મક અને માહિતી પ્રદેશોને પણ આવરી લે છે.

Related posts

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળશે

Ahmedabad Samay

વર્લ્ડ હેલ્થ ડે પર તમારા રોજિંદા આહારમાં બદામનો ઉપયોગ કરો, બદામને હેલ્ધી ફૂડમાં સામેલ કરવા માટેના એક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે

admin

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો