February 5, 2026
Other

સાબરમતી નદીમા યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ નોટ વાંચી પોલીસ અચંબામાં પડી

શહેરની સાબરમતી નદીના દધીચી બ્રિજ પરથી તાજેતરમાં  એક યુવકે મોતની છલાંગ લગાવી.આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે મૃતકના ઘરે તપાસ કરતા મૃતકે આપઘાત કરતા પહેલા ભાઈને સંબોધીને એક પત્ર લખી આપઘાત કર્યો છે. આ સુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી છે.

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ” મારા પિતાએ મને કહ્યું કે મારા કારણે જ તેમનું મોત થયું છે. જેથી હું મારા પિતા પાસે માફી માંગવા જઈ રહ્યો છું. મારા મૃત્યુ પાછળ કોઇ જવાબદાર નથી. મારા ભાઈ અને ભાભીનો મારા આપઘાત બાબતે કોઈ વાંક નથી. જેથી તેમને કોઈ હેરાન કરવા નહીં ” આ સ્યુસાઇડ નોટ મળ્યા બાદ થોડા સમય માટે પોલીસ પણ અચંબામાં પડી હતી.

આપઘાત કરનાર યુવકના ખિસ્સામાંથી આ પ્રકારની સુસાઇડ નોટ મળી આવતા પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે હકીકતના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સ્વર્ગવાસી પિતા રમણભાઈના મોત માટે પોતાને જવાબદાર ગણી આપઘાત કરનાર રજનીકાંત પરમારના કેસ બાબતે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળશે

Ahmedabad Samay

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

Ahmedabad Samay

નરોડા:અજાણ્યા રીક્ષા ચાલકે પ્રદીપ ભદૌરીયા નામના શખ્સને અડફેટે લીધો

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો