May 7, 2026
દેશ

એમ્ફાન વાવાઝોડા ના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ.

સુપર સાયકલોન બની ગયેલું અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારતીય કાંઠા વિસ્તારો તરફ આગળ વધવાની સાથે જ પશ્ચિમી-મધ્ય બંગાળ ખાડી ઉપર મંગળવારે નબળું પડીને અત્યંત  ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. પરંતુ આમ છતાં તેનાથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચવાની આશંકા છે. આ તોફાન  બુધવારે  બપોરે કે પછી સાંજ સુધીમાં કાંઠા પર ત્રાટકે તેવી શકયતા છે. બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આસામ સરકારે પણ તોફાનને જોતા હાઈ એલર્ટ જાહેર કરી છે. વાવાઝોડાની અસર શરૂ થઇ છે, ઓડિશાના ભદ્રકમાં ભારે વરસાદ-પવન ફુંકાઇ રહ્યો છે. ૩ લાખ લોકોને  સલામત સ્થળે ખસેડીયા છે. ૧૮૦ કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શકયતા પણ છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બપોરથી લઇને સાંજ સુધીમાં અમ્ફાન વાવાઝોડું સ્પીડથી ઓડિશા અને પ.બંગાળના કાંઠે પહોંચશે અને તબાહી મચાવી શકે છે. સંભવિત ખતરાને  ધ્યાનમાં લઇ રાજ્યથી લઇને કેન્દ્ર સરકાર – એજન્સીઓ એલર્ટ છે. પ.બંગાળમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ હાઇટાઇડ શરૂ થઇ છે. બંને રાજ્યોમાં ભારે પવન ફુંકાતા વૃક્ષો તૂટી પડયા છે. વાવાઝોડને કારણે ૩ લાખથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. અધિકારીઓએ  જણાવ્યું કે વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોખમવાળા વિસ્તારમાં લાખો લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.  બન્ને રાજયોમાં હાઈ એલર્ટ છે કારણ કે વાવાઝોડોના કારણે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તોફાની વાવાઝોડું  પારદીપથી લગભગ ૫૨૦ કિલોમીટર દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળના દીધાથી ૬૭૦ કિલોમીટર દક્ષિણ પશ્યિમમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રિત કનિદૈ લાકિઅ છે. આ ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે,  લગભગ ત્રણ લાખ લોકોને રાજયના દરિયા કિનારા ક્ષેત્રથી સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. ઓડિશા પણ જોખમવાળા ક્ષેત્રમાં રહેતા લગભગ ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાની તૈયારી કરાઈ છે. પ્રક્રિયા પહેલાથી જ શરુ કરી દેવાઈ છે અને અનેક લોકોને તોફાની વાવાઝોડોના કારણે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઉત્તરી અને દક્ષિણી ૨૪ પરગના, પૂર્વી મિદનાપુર જિલ્લો અને સુંદરવનને ભારે પવન ફૂંકાવાના કારણે નુકસાન થઈ શકે છે.

Related posts

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

દિલ્લીમાં બે આંતકવાદીઓ ની ધરપકડ, મોટા કાવતરાને આપવાના હતા અંજામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો