અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માની હાર થઈ છે. તેઓ ચાંદખેડા વોર્ડમાં હારી ગયા છે. ચાંદખેડામાં વોર્ડ નંબર 3 માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. પરંતુ આ વોર્ડમાં દિનેશ શર્મા હાર્યા છે.
પોતાની હાર દેખાઈ જતા દિનેશ શર્માએ અંતિમ જાહેરાત પહેલા જ મતગમતરી સ્થળ છોડ્યું હતું. પોતાના વોર્ડમાં દિનેશ શર્માએ ચૂંટણી પ્રચારમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં કાર અને બાઈક સાથે તેમના ટેકેદારો જોયા હતા. આક્રમક પ્રચાર છતાં તેઓ નિષ્ફળ ગયા હતા. ચાંદખેડાની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે.
