May 9, 2026
ગુજરાત

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

સુરતમાં મંત્રી કુમારા કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બબાલ બાદ સુનિતા યાદવે રાજીનામું આપી દીધું હતું.

લોકો સુધી આ વાત પહોંચતા સુનિતાને સોશિયલ મીડિયા પર ફુલ સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળ પણ કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યું છે. મેઘાણીનગર ખાતે ગુજરાત વાલી એકતા મંડળે સુનિતા યાદવના સમર્થનમાં પ્લેકાર્ડ બતાવીને દેખાવો કર્યાે હતો. આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઈ હતી. મોડીરાત્રે કરફ્યુ ભંગ કરવા બદલ સુનિતાએ પાંચ લોકોને અટકાવ્યા હતા. જોકે, બાદમાં પ્રકાશ કાનાણી ત્યાં પહોંચતા સુનિતાએ તેેને સવાલો કર્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે બબાલ થઈ હતી.
આ ઘટનાનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણીએ સુનિતા યાદવને 365 દિવસ ફરજ માટે ઊભી રાખવાની ચીમકી આપી હતી. સુનિતા સાચી હોવા છતા અધિકારીઓએ પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી સુનિતા યાદવને સોશિયલ મીડિયામાં ફુલ સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ ટ્વિટર પર #i_support_sunita_yadav ટ્રેડિંગમાં છે. અત્યાર સુધી ૩૨ હજાર કરતા પણ ટ્વિટ થઈ ચૂક્યા છે. આટલું જ નહીં, પૂર્વ IPS DG વણઝારાએ પણ ટ્વિટ કરીને સુનિતા યાદવને સપોર્ટ કર્યાે છે.

Related posts

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે વહેલી સવારે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો