અમદાવાદમાં કોરોના નો કેહર વધી રહ્યો છે, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોમ જાહેર કરવામાં આવ્યા છે તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્ક ફેલટ માં અંદાજીત ૬૦ થી ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત થયા છે.
સૂત્રો અનુસાર શાકભાજીના વહેપાર કરતા લોકો વધુ કોરોના ગ્રસ્ત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના કારણે સ્વામિનારાયણ પાર્કના આજુબાજુ ચાલતી ખાણી પીણી ની તમામ લારીઓ બંધ કરવામાં આવી છે. અને સાંજના સમયે ભરાતું શાક માર્કેટ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.
