આગ્રાના આવેલ મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ હશે. આગ્રા મંડળની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યૂઝિયમ હવે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વના ગેટપર બની રહેલા આ સંગ્રહાલય અંદાજિત 150 કરોડનો પ્રોજેક્ટ છે. યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને કાયમ રાખનારી છે.
મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં આ નિર્ણયની માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આગ્રામાં નિર્માણધીન મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોનું કોઇ સ્થાન નહીં. આપણા સૌના નાયક શિવાજી મહારાજ છે.
