March 27, 2026
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા  અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું ૭૭ વર્ષે નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં કોરોનાની  સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું.

૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યકત કરતા જણાવ્યું કે, ‘આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.’ બે દિવસ પહેલા ભાઇનું નિધન થયુ હતુ.

મહત્વનું છે કે, ૨૫ ઓકટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ ૮૩ વર્ષની વયે ગાંધીનગર  ખાતે નિધન થયું હતુ. તેઓ બંન્ને ભાઇઓ મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

Related posts

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

EDના નકલી ઓફિસર બનીને છેતરપિંડ કરનારના 7 દિવસના રીમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો