February 6, 2026
ગુજરાત

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા  અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું ૭૭ વર્ષે નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં કોરોનાની  સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું.

૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યકત કરતા જણાવ્યું કે, ‘આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.’ બે દિવસ પહેલા ભાઇનું નિધન થયુ હતુ.

મહત્વનું છે કે, ૨૫ ઓકટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ ૮૩ વર્ષની વયે ગાંધીનગર  ખાતે નિધન થયું હતુ. તેઓ બંન્ને ભાઇઓ મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
૨૦ ઓકટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૨ ઓકટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓકિસજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

Related posts

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ

Ahmedabad Samay

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો