February 5, 2026
દેશ

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. આજે  5માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન નીકળ્યુ નથી. સરકારે ખેડૂતો પાસે વધુ સમય માંગ્યો છે. હવે 9 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે.

બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે કહ્યુ છે કે તે અમને 9 ડિસેમ્બરે એક પ્રસ્તાવ મોકલશે. અમે (ખેડૂત) એક બીજા સાથે તેની પર ચર્ચા કરીશું, જે બાદ તે દિવસે તેમની સાથે બેઠક થશે. બીજી તરફ ખેડૂત નેતા બુટા સિંહે કહ્યુ કે, અમે કાયદાને રદ કરાવીને જ રહીશું. તેનાથી ઓછામાં અમે માનવાના નથી.

ખેડૂત સરકાર પાસે હવે હા અથવા નામાં જવાબ માંગી રહ્યા છે. આજે પાંચમા તબક્કાની વાર્તા દરમિયાન ખેડૂત નેતા શાંત બેઠા હતા. મંત્રી એક બીજા સાથે વાત કરવા માટે બહાર જતા રહ્યા હતા. ખેડૂત નેતા એક પાના પર હા અથવા ના એટલે યસ અથવા નો લખીને બેઠા હતા. ખેડૂત સંગઠનના નેતા બેઠકમાં મંત્રીઓ સામે યસ અથવા નો પ્લે કાર્ડ લઇને બેઠા હતા. ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યુ કે, અમારી પાસે એક વર્ષની સામગ્રી છે. સરકારે આ નક્કી કરવુ છે કે તે શું ઇચ્છે છે. ખેડૂત નેતાઓએ સરકારને કહ્યુ કે તમે જણાવી દો કે તમે અમારી માંગ પુરી કરશો કો નહી ?

 

Related posts

બજેટ હાઇલાઇટ

Ahmedabad Samay

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાન પર થયેલા અત્યાચારની આગ દિલ્હી થી કોલકત્તા અને સમગ્ર ભારતમાં ભડકી

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

‘દંગલ’માં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર ૧૯ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો