August 9, 2026
દેશરાજકારણ

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી છે, કુલ ૭ તબક્કે ચૂંટણી યોજાશે, ઉત્તરપ્રદેશમાં ૭ તબક્કામાંથી ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધીમાં મતદાન થશેઃ જ્‍યારે પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ અને મણીપુરમાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે મતદાન થશેઃ ૧૦ માર્ચે તમામ રાજ્‍યોમાં મત ગણત્રી યોજાશેઃ મુખ્‍ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રાએ આજે બપોરે પત્રકાર પરિષદમાં જણાવ્‍યુ હતું કે આ ચૂંટણીમાં કુલ ૧૮.૩૪ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૨૪.૯૦ લાખ નવા મતદારો છે,                                                                       પાંચ રાજ્‍યોમાં કુલ ૨,૧૫,૩૬૮ પોલીંગ બુથ બનાવવામાં આવશેઃ આ વખતે ૧૬ ટકા બુથનો વધારો કરાયો છેઃ આમાં ૧૬૨૦ મહિલાઓ સંચાલિત બુથ હશેઃ તેમણે કહ્યુ હતું કે, મતદાનનો સમય ૧ કલાક વધારવામાં આવ્‍યો છે, એટલું જ નહીં કોરોનાને ધ્‍યાનમાં રાખી ૧૫ જાન્‍યુઆરી સુધી રાજકીય પક્ષોને રોડ શો-પદયાત્રા-જનસભા યોજવાની મનાઇ ફરમાવવામાં આવી છે, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાત્રે ૮ પછી પ્રચાર નહીં કરી શકાયઃ તેમણે જણાવ્‍યુ હતું કે, આજથી આચારસંહિતા લાગુ થઇ છે,

આ વખતે ઉમેદવારો સુવિધા એપ થકી ઓનલાઇન ઉમેદવારી પત્ર પણ ભરી શકશેઃ ઉમેદવારે પોતાની ગુન્‍હાહિત માહિતી પસંદગીના ૪૮ કલાકમાં જણાવવી પડશે, ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્‍યુ હતું કે, મતદાન કોવિડ પ્રોટોકોલ હેઠળ યોજાશે, એક મતદાન મથક પર ૧૨૫૦ મતદારો જ મતદાન કરી શકશે જ્‍યાં થર્મલ ચેકીંગ-માસ્‍ક-સેનિટાઇઝર વગેરેની સુવિધાઓ ઉપલબ્‍ધ થશેઃ ચૂંટણી પછી વિજય સરઘસ ઉપર પણ મનાઇ ફરમાવવામાં આવી છે.

New up 01

Related posts

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

દેશમાં આંશિક લોકડાઉન લગાવો :IMA

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો