ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કરી માર્ગદર્શિકા પ્રમાણે ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં: અગાશી પર પરિવારના સભ્યો સિવાય બીજા કોઇ હાજર રહી શકશે નહીં. જા ભીડ એકઠી થશે તો જેપ્રતે ફલેટના પ્રમુખ કે ચેરમેન જવાબદાર રહેશે. રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.
૧૧ થી ૧૪ જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ઉત્તરાયણને લઇને ૧૦૮ દ્વારા એકશન પ્લાન તૈયાર કર્યો છે. ૧૦૮ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. ૬૨૨ જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે. આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે. ૫૦થી વધુ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવામાં આવશે.
હવે જોવાનું એ છે કે આ છૂટછાટ નો કોવિડ-૧૯ વાયરસ ફાયદો ઉપાડી દિવાળી સમયે થયેલી ભૂલ પાછી યાદ અપવાએ છે કે પછી શાંત રહેશહે.
આ છૂટછાટ કેટલી યોગ્ય છે આપનો અભિપ્રાય જણાવવા અમારા હેલ્પલાઇન નંબર:+ 91- 8401078768
