March 24, 2026
ગુજરાત

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

ચાંદલોડિયા વિસ્તારમાં ઋતુરાજ સોસાયટીમાં રહેતા જિનલ યાદવના દાદી મંજુલાબેન મનસુખભાઇ યાદવ (ઉં 75)ને ગત તા. 10-12-2020ના રોજ 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મંજુલાબેનનું સારવાર દરમિયાન ગત તા.15-12- 2020ના રોજ નિધન થયું હતું. તેઓની અંતિમક્રિયા સરકારી નિયમ મુજબ પુરી કરવામાં આવી હતી. તે સમયે સિવિલના અધિકારીએ જિનલભાઈને એક પહોંચ આપી જણાવ્યું હતું કે, તમે આ પહોંચ સિવિલ ઓપીડીમાં જમા કરાવશો એટલે તમને તમારા દાદી મંજુલાબેનનું ડેથ સર્ટી મળી જશે.

જિનલભાઈએ પહોંચ લઈ ડેથ સર્ટી માટે ઓપીડીમાં ગયા તો ત્યાં હાજર કર્મચારીએ પછી આવો તેવો જવાબ આપ્યો હતો. ફરીવાર જિનલભાઈ ગયા તો કર્મચારીએ તેઓને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના રેકર્ડ વિભાગમાં મોકલ્યા ત્યાં પણ પછી આવો તેવો જવાબ આપ્યો હતો.

સતત ધક્કા ખાઈ થાકી ચૂકેલા જિનલભાઈને રેકર્ડ વિભાગના સુપરવાઈઝર હિમાંશુ પટેલે ગત શનિવારે જણાવ્યું કે, તમારા દાદીની ફાઈલ મળતી નથી. ફાઈલ મળે તો અમે સિસ્ટમમાં એન્ટ્રી કરીએ પછી ડેથ સર્ટી ઇસ્યુ થઈ શકે છે.

દોઢ માસમાં 15થી વધુ ધક્કા ખાઈ રઝળપાટ કરતા જિનલ યાદવે હજુ પણ દાદીનું ડેથ સર્ટી મળ્યું નથી. જિનલ યાદવ તેમના દાદીને સિવિલ કોવિડ હોસ્પિલમાં દાખલ કર્યાના અને ડેથ થયાના તમામ પુરાવા છે. તેમ છતાં પણ હોસ્પિટલ સત્તાવાળાને નવી ફાઈલ બનાવી વ્યક્તિને ધક્કા ખવડાવવાની જગ્યાએ ડેથ સર્ટી ઇસ્યુ કરવાની જ્ઞાન થતું નથી.

મંજુલાબેનને કોવિડમાં દાખલ કર્યા તેનો કેસ પેપર, ડોમમાં બેસવાના પાસની નકલ, ડેથ સ્લીપ, ડૉ. જલ્પા કલજરીયાની વોર્ડમાં ડ્યૂટી વખતે મંજુલાબહેનનું ડેથ થયાની રસીદ આટલા પુરાવા જિનલ યાદવ પાસે હોવા છતાં ડેથ સર્ટી આપવા ધક્કા ખવડાવી રહ્યા છે

Related posts

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો