May 8, 2026
ગુજરાત

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

જો તમે પોતાના બજેટમાં સસ્તી ધાર્મિક ટ્રીપ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સસ્તામાં જબરદસ્ત ઓફર મળી શકે છે. રેલ ટિકિટીંગ વેબસાઈટ IRCTC 10 દિવસનું આકર્ષક ટૂર પેકજ લઈને આવ્યું છે. આ પેકેજ એ લોકો માટે છે જે લોકો લાંબા સમયથી કલક્તા અને પુરી જવાનો પ્લાન કરી રહ્યા છે. આ પેકેજમાં ધાર્મિક સ્થળોની યાત્રાનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. સૌધી મહત્વની વાત એ છે કે આ પેકેજ ખુબ જ સસ્તું છે.

IRCTC ધાર્મિક યાત્રા સાથે અલગ-અલગ પ્લાન પણ લાવે છે, જેનાથી તમે હોટલ અને ટિકિટ બૂકિંગના ટેન્શનથી મુક્ત થઈને ફરી શકો છો. આ નવા પેકેજમાં વારણસી-ગયા-કલક્ત્તા-પુરીની યાત્રા કરાવવામાં આવશે. આ પેકેજમાં ચાર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે IRCTCની બજેટ પેકેજ ટ્રીપમાં એક વાર પૈસા આપ્યા બાદ તમે ચાર શહેરના મંદિરોમાં ફરાવવામાં આવશે અને તમામ લોકોની રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ક્યાં-ક્યાંની હશે ટૂર.

IRCTCના આ પેકેજના માધ્યમથી લોકોને પહેલા વારણસી પછી ગયા પછી કલક્ત્તા અને અંતમાં પુરી લઈ જવામાં આવશે. જેમાં વારણસીના કાશી વિશ્વનાથ મંદિર, ગયાના બૌદ્ધ ગયા મંદિર, કલક્ત્તાના ગંગાસાગર અને પુરીના જગન્નાથ પુરી, કોણાર્ક મંદિર અને લિંગરાજ મંદિરમાં ફરાવવામાં આવશે.

ક્યાંથી શરૂ થશે ટૂર.

IRCTCનું આ પેકેજની શરૂઆત ગુજરાતથી થશે. ગુજરાતથી આ વિશેષ ટ્રેન વારણસી માટે રવાના થશે. જેમાં તમે રાજકોટ, સુરેન્દ્રનગર,વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ગોધરા, રતલામ, ઉજ્જૈન, શુજાલપુર, શેહોર, વિદિશા, ગંજ બસોદા, બીનામાંથી કોઈ પણ રેલ્વે સ્ટેશનથી તમારી યાત્રા શરૂ કરી શકો છો.

કેટલાં દિવસની ટૂર રહેશે.

આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાતનું છે. જેમાં લોકોને સવારનો ચા-નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું આપવામાં આવશે. સાથે જ રહેવા માટે હોલ અથવા તો ટ્રિપલ સેરિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટૂર પેકેજ ખુબ જ સસ્તુ છે.

કયારથી શરૂ થશે આ ટૂર.

આ 10 દિવસની ટૂર 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ટૂર માટે અત્યારથી જ બુકિંગ શરૂ કરવામાં આવી છે. આ ટૂરની બુકિંગ તમે IRCTC.CO.IN પરથી કરી શકો છો.

કેટલા રૂપિયા થશે ખર્ચ.

આ પેકેજ માટે તમારે માત્ર 9450 રૂપિયા ભરવાના રહેશે. આ પેકેજ અંતર્ગત તમને સ્લીપર ક્લાસમાં લઈ જવાશે. પરંતુ, જો કોઈ ACમાં યાત્રા કરવામાં માંગતા હોઈ તો તેમણે 15,750 રૂપિયા ચુકવવાના રહેશે.

અન્ય પેકેજ  ઉપલબ્ધ.

IRCTC આના સિવાય હજૂ એક પેકેજ પણ લઈને આવ્યું છે. જેમાં નાસિક, ઔરંગાબાદ, રામેશ્વરમ, મદુરઈ, કન્યાકુમારીની યાત્રા કરાવવામાં આવશે. આ પેકેજની માહિતી મત IRCTCની વેબસાઈટ પરથી મેળવી શકો છો.

Related posts

અમદાવાદ સમય પર શહીદ દિવસ પર જાણો વીર શહીદ ગોપાલસિંહ ભદૌરિયાની વીરગાથા

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

Ahmedabad Samay

દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો