કોરોના વાયરસના કારણે સ્કૂલો પર પણ અસર પડી છે, નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું ત્યારથી હજુ સુધી પ્રાથમિકના વર્ગો બંધ છે ત્યારે હવે આગામી સમયમાં ધોરણ-૯થી ૧૨ની જેમ આ વર્ગો પણ શરુ કરવામાં આવી શકે છે.
શરુઆતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરુ કરવામાં આવી હતી, જેમાં હવે ધીરે-ધીરે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ધોરણ-૯ અને ૧૧ના ક્લાસ શરુ કરવામાં આવ્યા જેમાં પહેલા દિવસે પાંખી હાજરી જોવા મળી.
પહેલા દિવસે ઘણાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ખચકાયા હતા, આવામાં જે વાલીઓ સ્કૂલે જાય પછી શું મહત્વનું છે તે પછી તે જાણ્યા પછી પોતાના બાળકોને મોકલવાનો નિર્ણય લઈ રહ્યા છે. બીજી તરફ આગામી ૧૫ ફેબ્રુઆરી પછી પ્રાથમિકના પ્રત્યક્ષ વર્ગો શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી શકે છે.
