ઉત્તરાખંડની ધૌલીગંગા, અલકનંદા નદીમાં બરફનું તોતિંગ ગ્લેશિયર ફાટતા ભયાનક પુર આવતા મહા ખાનાખરાબી સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૦૦ થી ૧૫૦ના મોત થયાનો ભય સિવાય રહ્યાનું ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશજીએ જણાવ્યું છે. પાવર પ્રોજેકટમાં કામ કરતા ૧૫૦ મજૂરોનો કોઈ પટ્ટો નથી, તેમના તણાય જવાથી મોત થયાનો ભય સિવાય છે.

વાયુદળના એમઆઇ-૧૭ અને ધ્રુવ સહિત ૩ હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલાયા છે. વધુ જરૂર પાડયે મોકલાશે તેમ એરફોર્સના ઓફિસર્સ જણાવે છે.
પોલીસ, અર્ધ લશ્કરી દળો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમો, એર ફોર્સ સહિત તમામ ફોર્સ રાહત બચાવમાં લાગી ગયા છે.
ચમોલી જિલ્લાના તપોવન ખાતેના આ ગ્લેશિયર મહા દુર્ઘટનામાં જુના પૂરના વિડીઓથી ભય નહિ ફેલાવવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અપીલ કરી છે.
