June 22, 2026
ગુજરાત

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ડિમોલિશન પાર્ટ-2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે આ બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં છે, અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવશે અને તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે, અગાઉ ચંડોળામાં 4 હજાર ગેરકાયદે મકાન તોડ્યા હતા.

 

આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ થશે જેને લઈ આજે પોલીસ કમિશનરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી, અને સરકારે પણ ચંડોળા તળાવામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે, અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ અને કોર્પોરેશને આ બાબતે પ્લાન પણ તૈયાર કર્યો છે, અગાઉ પણ 4 હજાર જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડયા છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.

Related posts

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

Ahmedabad Samay

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો