February 5, 2026
ગુજરાત

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ડિમોલિશન પાર્ટ-2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે આ બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં છે, અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવશે અને તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે, અગાઉ ચંડોળામાં 4 હજાર ગેરકાયદે મકાન તોડ્યા હતા.

 

આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ થશે જેને લઈ આજે પોલીસ કમિશનરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી, અને સરકારે પણ ચંડોળા તળાવામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે, અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ અને કોર્પોરેશને આ બાબતે પ્લાન પણ તૈયાર કર્યો છે, અગાઉ પણ 4 હજાર જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડયા છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.

Related posts

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો