January 24, 2026
ગુજરાત

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ડિમોલિશન પાર્ટ-2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે આ બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં છે, અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવશે અને તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે, અગાઉ ચંડોળામાં 4 હજાર ગેરકાયદે મકાન તોડ્યા હતા.

 

આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ થશે જેને લઈ આજે પોલીસ કમિશનરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી, અને સરકારે પણ ચંડોળા તળાવામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે, અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ અને કોર્પોરેશને આ બાબતે પ્લાન પણ તૈયાર કર્યો છે, અગાઉ પણ 4 હજાર જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડયા છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.

Related posts

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો