મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાત ચીત કરીને ઉત્તરાખંડ ના ચમોલી તપોવન ખાતે ગ્લેશિયર ફાટવાથી સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત તેમજ ઇજાગ્રસ્તો માટે પ્રબંધ કરવા વ્યવસ્થા માટે સહાય રૂપ થવા વિનંતી કરી છે. વિજયભાઈએ આ માટે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.
પાછલી પોસ્ટ
