મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યો , ૧૪ દિવસ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે, વિજયભાઈના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે, ડો. આર. કે. પટેલના કહેવા પ્રમાણે વિજયભાઈનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાતા તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને તેમને કોરોનાની સારવાર માટે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે, ડો. મહેતાના જણાવ્યા પ્રમાણે કોરોનાના રીપોર્ટ એચઆરસીટી, HRCT THORAX, IL-6, D-DIMER અને ઓકિસજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેઓની પરિસ્થિતિ સ્ટેબલ છે
ઇલેક્શન આવતા પોતાના સ્વાર્થ માટે સરકારે છુટછાટ આપી હજારોની સંખ્યામાં જન સભા, જન સંપર્ક અને રેલીઓ કાઢવું નેતાઓને ભારે પડશે. સી. એમ.રૂપાણી ની આટલી સાવચેતી રાખતા હોવા છતાંય કોરોના થયો તો અન્ય લોકોમાં કેટલું ફેલાયું હશે. ઇલેક્શન પછી કે ઇલેક્શન દરમિયાન કોરોના કેસના આંકડામાં ગડબડી ન કરે તો સારું
