August 7, 2026
અપરાધગુજરાત

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે. જો કે અત્યાર સુધીમાં કુલ ૭૬ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો હતો. અત્યાર સુધીના તમામ સાક્ષીઓએ ફેનીલને ઓળખી બતાવ્યો છે. આ ઉપરાંત ચપ્પુ જે દુકાનેથી ખરીદાયું હતું તેણે જણાવ્યું કે, આ ચપ્પુ ફેનિલે પ્રોટેક્શ માટે હોવાનું કહીને ખરીદ્યું હતું.

પાસોદરનામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુનો ઘા મારી જાહેરમાં તેની હત્યા કરી નાખી હતી. જેની સમગ્ર ગુજરાતમાં ભારે અસર પડી હતી. હત્યારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યાં અનેક લોકો હાજર હોવા છતા કોઇ ગ્રીષ્માને બચાવી શક્યા નહોતા. જો કે પોલીસે આરોપીને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. હાલ તે અંગે ઝડપથી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં આ કેસમાં ગ્રીષ્મા તથા ફેનિલના કોલેજના મિત્રો સહિત કુલ ૧૧ લોકોની જુબાની પણ લેવામાં આવી હતી.  અત્યાર સુધીમાં ૭૬ સાક્ષીઓની જુબાની પુર્ણ થઇ ચુકી છે.

આજે વધુ ૧૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૦ સાક્ષીઓ આ કેસમાં છે. સરકારના પક્ષે મુખ્ય જિલ્લાઅધિકારી વકીલે સાક્ષીઓની સરતપાસ હાથ ધરી હતી. આ અંગે ગ્રીષ્માના ભાઇ સહિત તેના કાકા અને અન્ય પરિવારના લોકો કે જે સ્થળ પર હાજર હતા તેમની સાક્ષી લેવામાં આવી હતી.

Related posts

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

નરોડામાં “આર્મી મેન”ના બહુ ચર્ચિત કેસમાં આર્મી મેનને આગોતરા જામીન મેળવવા માટે વલખા મારવા પડ્યા

Ahmedabad Samay

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

ગાંધીનગર જિલ્લાના છાલા ગામે “આયુષ મેળા” યોજાયો : ૧૪ હજારથી વઘુ નાગરિકોએ મેળાનો લાભ લીઘો

Ahmedabad Samay

હરિયાણા: મેવાતના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના કાફલા પર પથ્થરમારો, થયો હોબાળો

Ahmedabad Samay

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો