May 9, 2026
અપરાધગુજરાત

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

અશોકભાઈ કરશનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ગુનેગારોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હેબતપુર શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા લૂંટારાને ઓળખવા પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.

તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર – લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું હતું. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા હતા.

ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જીલલાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી, અને એકને અમદાવાદ જનતાનગર પકડવામાં આવેલ છે. દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો છે.

Related posts

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો