March 25, 2025
તાજા સમાચારરાજકારણ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

મનમોહન સિંહની વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ખૂબ જ બીમાર હતા. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની થતી હતી જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ, પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો.તેઓ 2004 થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા અને તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી. તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. મનમોહન સિંહને તેમના સરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

Related posts

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

મેંદરડાની માર્કેટિંગ યાર્ડ ખાતે બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત એક વર્ગ યોજાશે

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

LPG સિલિન્ડરના ભાવમાં વધારો: હોળી પહેલા મોંઘવારીનો આંચકો, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો