November 18, 2025
તાજા સમાચારરાજકારણ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

મનમોહન સિંહની વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ખૂબ જ બીમાર હતા. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની થતી હતી જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ, પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો.તેઓ 2004 થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા અને તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી. તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. મનમોહન સિંહને તેમના સરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

Related posts

ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારી

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

આજે ૧૧ વિધાન પરિષદની બેઠકો માટે ચૂંટણી યોજાઇ

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

મ્યાનમારમાં શુક્રવારે બપોરે 12:50 વાગ્યે  7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે દક્ષિણપૂર્વ એશિયાના વિશાળ વિસ્તારમાં ઇમારતોને હચમચાવી દીધી

Ahmedabad Samay

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો