June 22, 2026
અપરાધ

શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે.

શ્રુષ્ટિ રૈયાણી હત્યાકાંડ મામલે મૃતક શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હર્ષ રૈયાણીએ જણાવ્યું હતું કે, આરોપી ઘરની દીવાલ કૂદી અંદર આવી મને માર મારી રહ્યો હતો ત્યારે મારી બહેને મને ધક્કો મારી બચાવ્યો હતો. તેના હાથમાં છરી હતી અને તેણે મારી બહેનને છરીના ઘા ઝીંક્યા હતા. આરોપીને ફાંસીની સજા થશે ત્યારે જ મારી બહેનને ન્યાય મળશે.

રાજકીય પાર્ટી રાજકારણ ના રોટલા સેકવા પોહચ્યા 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે જેતલસર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૈયાણી સમાજની વાડીમાં પરિવારજનો અને ગ્રામજનોને શાંતવના પાઠવી હતી. ત્યારે સી. આર. પાટીલ સાથે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભરત બોધરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને રેશમા પટેલ સહિતનાએ મૃતક સૃષ્ટિ રૈયાણી ના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને ન્યાય માટે રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી હતી.

 

Related posts

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

RBI એ ₹૫૦,૦૦૦ સુધીના નાના ડિજિટલ ફ્રોડમાં ગ્રાહકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે એક નવા વળતર માળખાનો ડ્રાફ્ટ રજૂ કર્યો

Ahmedabad Samay

સલમાન ખાન પર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સુરતના એક વેપારીને ખંડણીનો કોલ

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો