May 9, 2026
ગુજરાત

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંંક નહીં કરાવો તો ૧ એપ્રિલથી તમારૃં પાનકાર્ડ ઇનએકિટવ થઈ જશે સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં ૩૧ માર્ચ ડેડલાઈન છે. એટલું જ નહીં આવકવેરા કાયદા અનુસાર જો નક્કી મર્યાદાની અંદર આધાર સાથે પાન કાર્ડને લિંક નહીં કરાવવામાં આવે તો હવે ભારે દંડ ભરવો પડી શકે છે.

બજેટ સત્ર દરમિયાન સંસદમાં ફાયનાન્સ બીલ-૨૦૨૧ ની ચર્ચા વખતે જો કરદાતા ૩૧ મી માર્ચ પહેલાં આધારને પાનકાર્ડ સાથે લીંક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયાના દંડની કલમ -૨૩૪-એચ ની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે.

પાન અને આધાર કાર્ડ લિંક  ન કરવા પર રોકાણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળી શકે.

 

Related posts

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમેરિકાના બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સર્વેશ પાલનું સન્માન કાર્યક્રમ યોજાયું

Ahmedabad Samay

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ, દરરોજ બને છે ભગવાનનો પ્રસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો