June 24, 2026
ગુજરાત

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંંક નહીં કરાવો તો ૧ એપ્રિલથી તમારૃં પાનકાર્ડ ઇનએકિટવ થઈ જશે સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં ૩૧ માર્ચ ડેડલાઈન છે. એટલું જ નહીં આવકવેરા કાયદા અનુસાર જો નક્કી મર્યાદાની અંદર આધાર સાથે પાન કાર્ડને લિંક નહીં કરાવવામાં આવે તો હવે ભારે દંડ ભરવો પડી શકે છે.

બજેટ સત્ર દરમિયાન સંસદમાં ફાયનાન્સ બીલ-૨૦૨૧ ની ચર્ચા વખતે જો કરદાતા ૩૧ મી માર્ચ પહેલાં આધારને પાનકાર્ડ સાથે લીંક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયાના દંડની કલમ -૨૩૪-એચ ની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે.

પાન અને આધાર કાર્ડ લિંક  ન કરવા પર રોકાણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળી શકે.

 

Related posts

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો