પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંંક નહીં કરાવો તો ૧ એપ્રિલથી તમારૃં પાનકાર્ડ ઇનએકિટવ થઈ જશે સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં ૩૧ માર્ચ ડેડલાઈન છે. એટલું જ નહીં આવકવેરા કાયદા અનુસાર જો નક્કી મર્યાદાની અંદર આધાર સાથે પાન કાર્ડને લિંક નહીં કરાવવામાં આવે તો હવે ભારે દંડ ભરવો પડી શકે છે.
બજેટ સત્ર દરમિયાન સંસદમાં ફાયનાન્સ બીલ-૨૦૨૧ ની ચર્ચા વખતે જો કરદાતા ૩૧ મી માર્ચ પહેલાં આધારને પાનકાર્ડ સાથે લીંક કરવામાં નહીં આવે તો ૧૦૦૦ રૂપિયાના દંડની કલમ -૨૩૪-એચ ની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે.
પાન અને આધાર કાર્ડ લિંક ન કરવા પર રોકાણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળી શકે.
