June 15, 2026
ગુજરાત

આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે,કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટમાંથી આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે. કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા બેન્‍ચે આસારામને માધવબાગ હાર્ટ હોસ્‍પિટલમાં સારવાર માટે રાજસ્‍થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા જણાવ્‍યું હતું. આ કાયદા મુજબ ગણવામાં આવશે.

સર્વોચ્‍ચ અદાલતે સ્‍વાસ્‍થયના આધારે બળાત્‍કારના કેસમાં સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી સ્‍વયંભૂ ગોડમેન આસારામ બાપુની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

આસારામ વતી કોર્ટને કહેવામાં આવ્‍યું હતું કે તે સરકારી વકીલના નિવેદનને સ્‍વીકારવા તૈયાર છે કે તે મહારાષ્ટ્રના ખોપોલીમાં માધવબાગ હાર્ટ હોસ્‍પિટલમાં પોલીસ કસ્‍ટડીમાં સારવાર કરાવી શકે છે. આના પર જસ્‍ટિસ સંજીવ ખન્ના અને જસ્‍ટિસ દીપાંકર દત્તાની બેંચે તેમને રાહત માટે રાજસ્‍થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું.ખંડપીઠે આસારામને માધવબાગ હાર્ટ હોસ્‍પિટલમાં તેની સારવાર માટે રાજસ્‍થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવા કહ્યું અને તેને કાયદા મુજબ ગણવામાં આવશે. ન્‍યાયાધીશ ખન્નાએ આસારામના ઇરાદાપૂર્વકના પ્રયાસોની નોંધ પણ કરી હતી કે આ કેસમાં તેમની દોષિત ઠરાવી અને સજા સામે હાઇકોર્ટ સમક્ષ તેમની અપીલની સુનાવણીમાં વિલંબ થાય છે.

૨૦૧૮ માં આશારામને જોધપુરની વિશેષ પોક્‍સો અદાલત દ્વારા બળાત્‍કાર સહિતના વિવિધ ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્‍યો હતો. તેમને આજીવન કેદની સજા થઈ. તે ૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૩થી કસ્‍ટડીમાં છે, જયારે તેની ઇન્‍દોરમાં આશ્રમમાં કિશોરી પર બળાત્‍કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જોધપુર લાવવામાં આવ્‍યો હતો. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્‍યો હતો કે ૧૫ ઓગસ્‍ટ, ૨૦૧૩ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્‍થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્‍કાર કર્યો હતો.

Related posts

ત્રીજા લહેર માટે સરકારે આપી ચેતવણી.

Ahmedabad Samay

ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને સરળતાથી મકાન વેચી પણ શકશે

Ahmedabad Samay

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો