ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્થિતિ ઘણી ખરાબ છે. સુરતમાં દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી. તેવામાં સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ફરી ૧૦૦ બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઉભું કરી દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે.
ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના મિત્રો અને કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે અને આગામી ૭૨ કલાકમાં ૨૦૦ દર્દીને સારવાર મળી રહે તેવી હોસ્પિટલ ઉભી કરી છે. માત્ર ૨૪ કલાકમાં ૧૦૦ બેડની ઓક્સિજન હોસ્પિટલ સાથે આવનાર દર્દીને રેમડેસિવર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે.
રાજય સરકર દ્વારા સુરતના મજૂરાગેટ ખાતે આવેલ સિવિલમાં નવ નિર્મિત કિડની હોસ્પિટલમાં ૮૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
