November 14, 2025
કોરોના
ગુજરાત

અમદાવાદમાં કોરોના કહેર વધતા કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે

અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વડોદરામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે. આજવા ગામમાં આવેલી પાયોનિયર ગ્રૂપની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. હોસ્પિટલમાં પથારી, તબીબો, નર્સિંગ સહિત સ્ટાફ તૈયાર કરાઈ છે. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના 42 તબીબોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાતા વડોદરામાં સ્થિતિ બગડી શકે છે.

તો બીજી તરફ, વડોદરામા કોરોના ટેસ્ટીંગ વધારવા રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાઈ છે. ખુલ્લેઆમ ફરતા કોરોના દર્દીઓને શોધી કાઢવા ટેસ્ટીંગ વધારવા આદેશ અપાયા છે. વડોદરામા રોજના 4 હજાર ટેસ્ટના બદલે હવે 5 હજાર ટેસ્ટ કરવામા આવશે. પોઝિટિવ દર્દીના સંપર્કમા આવેલા 10 થી 15 લોકોના ટેસ્ટ કરવા પણ સૂચના અપાઈ છે.

Related posts

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

Ahmedabad Samay

સાબરમતી વિસ્તારમાંથી ચોરીની ઘટના વિશે તપાસ કરતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઇ

Ahmedabad Samay

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં  ટાંટિયાખેંચ બંધ કરી વિકાસના કામોમાં ધ્‍યાન આપો તેવી ટકોર કરી

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

જીમ લોન્જના વધુ એક જીમનુ ગ્રાન્ડ ઓપનિંગ ધ ગ્રેટ ખલીના હસ્તે કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો