June 22, 2026
ગુજરાત

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે અધિકારીઓએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું હતું. કોટ વિસ્તારમાં અગાઉ જર્જરીત ઈમારતોને નોટિસ મહાનગર પાલિકાએ આપી છે. જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ 21 કિમી જેટલા રુટનું નિરીક્ષણ કર્યું હતું.

મેયરે રુટ નિરીક્ષણને લઈને કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં એકતા અને હર્ષોલ્લાસ સાથેનો આ પર્વ પૂર્ણ થાય તે હેતુથી તમામ બાબતોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે જર્જરીત મકાનોની નોટિસ અપાઈ છે. આ સાથે નવી લાઈટો, તેમજ રોડ રસ્તામાં આવતા અડચણો વગેરે પર ધ્યાન આપી તેને દૂર કરાશે. આ સાથે એએમસી દ્વારા તમામ તૈયારીઓને લઈને અત્યારે રુટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

તૈયારીઓની અંતિમ નિરીક્ષણ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંય કોઈ કામગિરી કરવાનું માલુંમ થશે ત્યાં દરેક કામગિરી કરવામાં આવશે. તેમ મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું હતું.

20 જૂનના રોજ રથયાત્રા અમદાવાદમાં યોજાશે. પરંપરા પ્રમાણે દર વર્ષે ભગવાનની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે અત્યારથી જ અમદાવાદમાં રથયાત્રાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવી ભક્તો રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી અહીં આવતા હોય છે.

Related posts

કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોકિસયા’ નો ખતરો, શું હેપ્પી હાઇપોકિસયાના કારણે થઇ રહ્યાં છે મોત?

Ahmedabad Samay

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો