November 18, 2025
ગુજરાત

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે અધિકારીઓએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું હતું. કોટ વિસ્તારમાં અગાઉ જર્જરીત ઈમારતોને નોટિસ મહાનગર પાલિકાએ આપી છે. જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ 21 કિમી જેટલા રુટનું નિરીક્ષણ કર્યું હતું.

મેયરે રુટ નિરીક્ષણને લઈને કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં એકતા અને હર્ષોલ્લાસ સાથેનો આ પર્વ પૂર્ણ થાય તે હેતુથી તમામ બાબતોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે જર્જરીત મકાનોની નોટિસ અપાઈ છે. આ સાથે નવી લાઈટો, તેમજ રોડ રસ્તામાં આવતા અડચણો વગેરે પર ધ્યાન આપી તેને દૂર કરાશે. આ સાથે એએમસી દ્વારા તમામ તૈયારીઓને લઈને અત્યારે રુટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

તૈયારીઓની અંતિમ નિરીક્ષણ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંય કોઈ કામગિરી કરવાનું માલુંમ થશે ત્યાં દરેક કામગિરી કરવામાં આવશે. તેમ મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું હતું.

20 જૂનના રોજ રથયાત્રા અમદાવાદમાં યોજાશે. પરંપરા પ્રમાણે દર વર્ષે ભગવાનની રથયાત્રા યોજાતી હોય છે. ત્યારે અત્યારથી જ અમદાવાદમાં રથયાત્રાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવી ભક્તો રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી અહીં આવતા હોય છે.

Related posts

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો