May 8, 2026
ગુજરાત

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

કોરોના થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓકિસજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓકિસજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓકિસજન લેવલ વધારવા માટે બહારથી ઓકિસજનના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે દ્યરે પણ ઓકિસજનની માત્રા વધારી શકે છે. તો સાથે જ ઓકિસજનની માત્રા વધારવા માટે હોમિયોપેથીની દવા કારગત નીવડે કે કે કેમ? લોકોના મનમાં મૂંઝવતા અનેક સવાલોનો જવાબ હોમિયોપેથીક તબીબે આપ્યો છે.

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે શરીરમાં ઓકિસજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓકિસજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓકિસજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓકિસજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓકિસજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યકિત દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.

યોગમાં દિવસમાં બે વખત ૧૫ મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓકિસજન લેવલ વધે છે. સાંજે રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ. હોમિયોપેથીકની ઇમ્યુનિટી વધારવાની ગોળી આવે છે, પરંતુ ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી.

કોરોનાગ્રસ્ત દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓકિસજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

Related posts

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો