June 22, 2026
ગુજરાત

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

કોરોના થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓકિસજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓકિસજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓકિસજન લેવલ વધારવા માટે બહારથી ઓકિસજનના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે દ્યરે પણ ઓકિસજનની માત્રા વધારી શકે છે. તો સાથે જ ઓકિસજનની માત્રા વધારવા માટે હોમિયોપેથીની દવા કારગત નીવડે કે કે કેમ? લોકોના મનમાં મૂંઝવતા અનેક સવાલોનો જવાબ હોમિયોપેથીક તબીબે આપ્યો છે.

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે શરીરમાં ઓકિસજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓકિસજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓકિસજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓકિસજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓકિસજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યકિત દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.

યોગમાં દિવસમાં બે વખત ૧૫ મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓકિસજન લેવલ વધે છે. સાંજે રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ. હોમિયોપેથીકની ઇમ્યુનિટી વધારવાની ગોળી આવે છે, પરંતુ ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી.

કોરોનાગ્રસ્ત દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓકિસજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

Related posts

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો