February 5, 2026
દેશધર્મ

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે કે, મંદિર માટે જે રકમ ચેક દ્વારા દાન કરાઈ હતી તેમાંથી ૧૫ હજાર જેટલા ચેક તો બાઉન્સ થયા છે. બાઉન્સ થયેલા ચેકની રકમ ૨૨ કરોડ રુપિયાની આસપાસ થાય છે. કેટલાક કિસ્સામાં ચેક આપનારા અકાઉન્ટમાં એટલા રુપિયા ના હોવાના કારણે ચેક બાઉન્સ થયાછે, તો કેટલાક કિસ્સામાં ટેકનિકલ કારણોસર ચેક બાઉન્સ થયા છે.

આ મામલે ટ્રસ્ટના મેમ્બર ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેંકો હાલ ટેકનિકલ એરર સુધારવાનો પ્રયાસ કરી રહી છે, અને જેમના ચેક બાઉન્સ થયા છે તે દાતાઓને ફરી દાન આપવા કહેવાઈ રહ્યું છે. જે ચેક દાનમાં આવ્યા છે તેમાંથી બે હજાર જેટલા તો માત્ર અયોધ્યામાંથી જ મળ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદે સમગ્ર દેશમાં ઘેર-ઘેર જઈને ૧૫ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે રામ મંદિર માટે દાન ઉઘરાવ્યું હતું. વીએચપીનો દાવો છે કે એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં પાંચ હજાર કરોડ રુપિયા એકત્ર કરવામાં આવ્યા છે. જોકે ખરેખર કેટલા રુપિયા આવ્યા છે તેનો આંકડો ટ્રસ્ટ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

Related posts

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા 

Ahmedabad Samay

તુલસી પર આ સમયે ચઢાવવું જોઈએ જળ, જાણો કેવી રીતે કરવી તુલસીની પૂજા અને કાળજી

Ahmedabad Samay

રાહુની મહાદશા 18 વર્ષ સુધી ચાલે છે, આમને મળે છે અપાર ધન અને પ્રસિદ્ધિ, સાથે મળે છે રાજા જેવું જીવન

Ahmedabad Samay

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો