March 25, 2026
દેશધર્મ

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે કે, મંદિર માટે જે રકમ ચેક દ્વારા દાન કરાઈ હતી તેમાંથી ૧૫ હજાર જેટલા ચેક તો બાઉન્સ થયા છે. બાઉન્સ થયેલા ચેકની રકમ ૨૨ કરોડ રુપિયાની આસપાસ થાય છે. કેટલાક કિસ્સામાં ચેક આપનારા અકાઉન્ટમાં એટલા રુપિયા ના હોવાના કારણે ચેક બાઉન્સ થયાછે, તો કેટલાક કિસ્સામાં ટેકનિકલ કારણોસર ચેક બાઉન્સ થયા છે.

આ મામલે ટ્રસ્ટના મેમ્બર ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેંકો હાલ ટેકનિકલ એરર સુધારવાનો પ્રયાસ કરી રહી છે, અને જેમના ચેક બાઉન્સ થયા છે તે દાતાઓને ફરી દાન આપવા કહેવાઈ રહ્યું છે. જે ચેક દાનમાં આવ્યા છે તેમાંથી બે હજાર જેટલા તો માત્ર અયોધ્યામાંથી જ મળ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદે સમગ્ર દેશમાં ઘેર-ઘેર જઈને ૧૫ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે રામ મંદિર માટે દાન ઉઘરાવ્યું હતું. વીએચપીનો દાવો છે કે એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં પાંચ હજાર કરોડ રુપિયા એકત્ર કરવામાં આવ્યા છે. જોકે ખરેખર કેટલા રુપિયા આવ્યા છે તેનો આંકડો ટ્રસ્ટ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

Related posts

વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રથમ તબક્કો આજે સાંજે સમાપ્ત

Ahmedabad Samay

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

આખરે દીદીએ નંદીગ્રામ ગુમાવ્યું,સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે જીત મેળવી

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા અભ્યાસ કરો’, તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે અરજદારને હાઈકોર્ટે ફટકાર લગાવી

Ahmedabad Samay

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો