May 9, 2026
ગુજરાત

૨૪ કલાકમાં પોણા બસો કેસ આવ્યા સામે,કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું,

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે ગૃહ વિભાગ સતર્ક થયુ છે.  રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જાહેરનામામાં ફેરફાર કરીને રાત્રી કરફ્યુનો અમલ રાતના એક વાગ્યાને બદલે 11 વાગ્યાથી શરૂ કરાવ્યો હતો. જેને લઇને ગૃહવિભાગે આ બાબતે ગંભીરતા દાખવીને પોલીસને તાકીદ કરી છે.

ગૃહવિભાગે કોરોનાની સંભવિત લહેરને કાબુમાં રાખવા માટે કરફ્યુનો અમલ આઠ મહાનગરોમાં કરાવવાની સાથે રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું છે.

ડીજીપી આશિષ ભાટીયાએ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અિધકારીઓ, જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર્સને તાકીદ કરી છે કે તેમના જિલ્લાઓ અને વિસ્તારોમાં રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવે.

અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાતના 11 વાગ્યા બાદ વગર કારણસર બહાર ફરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેમજ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોનો અમલ થાય તે માટે પણ કાર્યવાહી કરવા માટે જણાવાયું છે.

આ સાથે માસ્ક નહી પહેરનારાઓ સામે દંડ વસુલવાની કાર્યવાહી પુન: શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લોકો બહાર ન આવે તે માટે અત્યારથી રાતના 11 વાગ્યા સુધીમાં તમામ કેક શોપ, પાર્લર અને રેસ્ટોરન્ટ બંધ રહે તે અંગે કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

દુનિયાભરના દેશો સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની સાથે કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં ગુજરાતમાં પણ એક જ દિવસમા 179 કેસ નોંધાયા છે.

New up 01

Related posts

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદના જન્મદિન પર જાણો અમદાવાદ વિશે રસપ્રદ વાતો

Ahmedabad Samay

અમદાવાદ – માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા, પોલીસે તેજ કરી તપાસ

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો