
કોરોના કાળ આવ્યો ત્યારથી સરકાર દ્વારા લોકડાઉન લગાવ્યું હતું અને હાલ બીજી લહેરમાં ફરી થી જીવન જરૂરિયાત સિવાયના તમામ એકમો બંધ કરવામાં આવ્યુ છે પરંતુ…. આવી પરિસ્થિતિમાં પણ અમદાવાદના તમામ દેશી દારૂના અડ્ડા બંધ કરવામાં નથી ત્યારે લોકોમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે.
શું દેશી દારૂ જીવન જરૂરી એકમમાં આવે છે ? આવી પરિસ્થિતિમાં શા માટે દેશી દારૂના અડ્ડા ધબકી રહ્યા છે ?
સમગ્ર રાજ્યમાં એક તરફ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે પરંતુ બુટલેગરો દેશી દારૂની અછત થવા દેતા નથી તેવામાં સોશિયલ મીડિયા એક જોક્સ ફરતો થયો છે કે
“ઓકસીજન લાવવાનું નું કામ અત્યારે બુટલેગરોને આપી દેવું જોઈએ..દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ક્યારેય માલ ખૂટવા નથી દીધો 😉😂 અને હોમ ડીલીવરી પણ કરી આપે છે”
આમતો આ ભલે જોક્સ હોય પણ ખરેખર સરકારે આ દિશામાં વિચારવું જોઈએ કારણેકેેે પ્રોહીબેશન માટે આટલા સખ્ત નિયમ હોવા છતા સંપૂર્ણ રાજ્યમાં દેશી દારૂના અડ્ડા ધમ ધમે છે બુટલેગરો પોતાના ગ્રાહકોને કદી અસંતુષ્ટ નથી થવા દેતા તો જો તેમને ઓક્સિજન માટે તમામ છૂટ આપવામાં આવે તો કદાચ તેવો ઓક્સિજનની પણ અછત નહિ થવા દે.
આટલી આકરી પરિસ્થિતિમાં પણ સમગ્ર રાજ્યમાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાના કારણે સરકારને અને પોલીસે શરમ આવી જોઈએ અને જો ગુજરાતમાં દારૂ બંધી ન કરાવી શકતા હોયતો દારૂની પરવાનગી આપી દેવી જોઈએ જેથી સરકાર અને પોલીસ બદનામી થી તો બચી જશે.
જો આ અહેવાલ થી સહમત હોવતો જરૂર થી શેર કરજો
