February 6, 2026
Other

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં એક કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કોઈ લગ્ન કે માંગલિક પ્રસંગના આમંત્રણની કંકોત્રી નથી. પરંતુ આ કંકોત્રી છે લોકશાહીના મહાપર્વના આમંત્રણની. શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ આમંત્રણ પત્રિકા રૂપી કંકોત્રી છપાવવામાં આવી છે.

ચૂંટણી પંચ અને શિક્ષણ વિભાગ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર માટે આવી કંકોત્રી છાપવામાં આવી છે. જેમાં લગ્નની કંકોત્રીની જેમ જ મતદાન કરવા માટે મતદારને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના મતદારોને જાગ્રત કરવા માટે સ્વામીનારાયણ વિદ્યાલય મંદિર મેમનગરના વિદ્યાર્થીઓએ કંકોત્રી વહેંચી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ શહેરની સોસાયટીઓમાં જઈને મતદારોને કંકોત્રી આપીને 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરી

Related posts

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ પેશન્ટને બ્લેંકેટ ની વહેંચણી કરવામાં આવી

Ahmedabad Samay

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો