
ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ૧૮ વ્યકિતનાં કરૂણ મોત નીપજયા છે જયારે અનેક વ્યકિતઓ આગના કારણે દાજયા છે. આ દર્દીઓમાં ૧૬ દર્દી હતા જયારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે.
જયારે અન્ય દર્દીઓ આગના કારણે દાજયા છે. આગ મોડી રાતે લાગી હોવાનું સામે આવ્યા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુઃખ વ્યકત કર્યુ છે અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યકિતના વારસને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.
