June 22, 2026
ગુજરાત

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ad

કોરોના કાળમાં અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ બેફામ વધી જતા અમપા સિટી બસોનું સંચાલન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે કોરોનાનું જોર ઘટતા લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તાઓ પર ફરીથી એએમટીએસ-બીઆરટીએસની બસો દોડતી જોવા મળશે.

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ મળતા હવે એએમસી દ્વારા પણ બસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કોરોનાના કેસો ઓછા થયા છે પરંતુ તે હજી સમાપ્ત નથી થયો. જેથી લોકોએ હજી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જાહેર બસોમાં મુસાફરી દરમિયાન લોકોએ કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કોરોનાના નિયમો પ્રમાણે હાલ બસમાં એક સાથે વધુમાં વધુ ૫૦% મુસાફરો મુસાફરી કરી શકશે. જે મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તેમને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. સંક્રમણ ન ફેલાય તે માટે દિવસમાં બે ટાઈમ બસોને સેનિટાઈ પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર શરૂ થતાં અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૮ માર્ચના રોજ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે હજી સુધી અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, હવે ૨૮ મેથી બસોનું સંચાલન ફરી શરૂ થતાં લોકોને વધારે રાહત મળશે.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર હવે ૫૦૦રૂ. દંડ,ગ્રાહક મસાલો ખાઈ થુંકે તો ગલ્લા વાળને ૧૦,૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો